ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના મદદઃ કુવૈતની મદદ કરવા ભારતે મેડિકલ ટીમ મોકલી, કુવૈતમાં અંદાજે 10 લાખ ભારતીયો - ભારતની મેડિકલ ટીમ કુવૈત પહોંચી

COVID-19 સામેની લડતમાં કુવૈતને મદદ કરવા માટે ભારતના 15 ડોકટર્સ અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની બનેલી ટીમ કુવૈત પહોંચી હતી. તબીબી ટીમ બે અઠવાડિયાના સમયગાળા માટે કુવૈતમાં રોકાવાના છે. જે દરમિયાન તે પીડિત વ્યક્તિઓની પરીક્ષણ અને સારવાર અને તેમના કર્મચારીઓને તાલીમ આપવામાં તબીબી સહાય આપશે.

COVID-19
COVID-19

By

Published : Apr 12, 2020, 9:46 AM IST

કુવૈત: ભારતના 15 ડોકટર્સ અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની બનેલી ટીમ શનિવારે કુવૈત સરકારને કોરોના વાઈરસ સામેની લડતમાં મદદ કરવા કુવૈત પહોંચી હોવાનું વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કુવૈત સમકક્ષ શેખ સબાહ અલ-ખાલદ વચ્ચે વાતચીતના પગલે બંને નેતાઓ વૈશ્વિક રોગચાળા સામે સંયુક્ત રીતે પ્રયત્નો માટે સંમત થયા છે.

આ તબીબી ટીમ બે અઠવાડિયાના સમયગાળા માટે કુવૈતમાં રોકાઈ તેવી શક્યતા છે. તે દરમિયાન તેઓ પીડિત વ્યક્તિઓની પરીક્ષણ અને સારવાર અને તેમના કર્મચારીઓને તાલીમ આપવામાં તબીબી સહાય આપશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, "ભારતની રેપિડ રિસ્પોન્સ ટીમ કુવૈત આવી છે. #COVID-19 પર અમારા બંને વડાપ્રધાનો વચ્ચેની ચર્ચાને અનુસરીને ટીમ કુવૈત પહોંચી છે."

વિદેશી બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કુવૈત સરકારની વિનંતી પર તાત્કાલિક ટીમની નિમણૂક કરવામાં આવી છે. બંને નેતાઓ વચ્ચેની ચર્ચા પછી, જયશંકર અને કુવૈતી સમકક્ષ શેખ અહમદ નાશેર અલ-મોહમ્મદ અલ-સબાહએ કુવૈતની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને આ પડકારજનક સમયમાં સહકારને વધુ મજબૂત કરવા માટે ટેલિફોનિત વાતચીત કરી હતી.

દેશમાં જીવલેણ ચેપનો ભોગ બનેલા કુવૈતમાં અત્યાર સુધીમાં 1,154 કોરોના વાઈરસ કેસ નોંધાયા છે. કુવૈતમાં અંદાજે 10 લાખ જેટલી વસ્તી ધરાવતા ભારતીયો સૌથી વધુ વિદેશી લોકોનું જૂથ છે. આ જોખમ સામે અસરકારક રીતે લડવાના પ્રયત્નોને પૂરક બની ભારત પડોશી કુવૈત સુધી પહોંચી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details