- પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન
- પ્રદર્શનકારીઓના હાથમાં વડાપ્રધાન મોદીના પોસ્ટર
- આઝાદીના સમર્થનમાં લાગ્યા નારા
સન્ન: પાકિસ્તાનમાં જીએમ સૈયદની 117મી જયંતી પર આયોજીત એક વિશાળ રેલીમાં પ્રદર્શનકર્તાઓએ સિંધુદેશની આઝાદી માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓના પોસ્ટર હાથમાં લઈને પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશેરો જિલ્લામાં સૈયદના ગૃહનગરમાં રવિવારના રોજ આયોજીત વિશાળ રેલી દરમિયાન લોકોએ આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
1947માં પાકિસ્તાનના ઈસ્લામી હાથોમાં સોંપાયું
તેમણે દાવો કર્યો કે, સિંધ સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ધર છે. જેને બ્રિટીશ સામ્રાજ્ય દ્વારા ગેરકાયદે કબ્જે કરાયું હતું અને તેમના દ્વારા 1947માં પાકિસ્તાનના ખરાબ ઈસ્લામી હાથોમાં સોંપી દીધું હતું.