ગુજરાત

gujarat

ETV Bharat / international

મસૂદ અઝહરની તમામ સંપત્તિ જપ્ત કરવાનો પાકિસ્તાનનો નિર્ણય - global terrorist

ઈસ્લામાબાદ- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ પાકિસ્તાને મસૂદ અઝહરની વિરુધ્ધમાં નિર્ણય લેવા મજબુર થવુ પડ્યુ છે. પાકિસ્તાન સરકારે મસૂદ અઝહરની તમામ સંપત્તિઓને સીલ કરવા અને દેશમાં ફરવા પર પ્રતિબંઘનો નિર્ણય કર્યો છે. જ્યારે અઝહરના તમામ બેંક એકાઉન્ટને પણ ફ્રિજ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

zVGFRTY6JKDFHJFHDFHS

By

Published : May 3, 2019, 7:23 PM IST

પાકિસ્તાનમાં બેસીને આતંકી વારદાતોને અંજામ આપનાર આંતરરાષ્ટ્રીય આંતકવાદી મસુદ અઝહરની વિરુધ્ધમાં પગલા લેવા પાકિસ્તાન સરકારને મજબુર થવુ પડ્યુ છે. અઝહરની તમામ સંપત્તિ અને બેંક એકાઉન્ટ જપ્તની કાર્યવાહીનો હુકમ આપી દેવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાન ગૃહમંત્રાલયના અધિકારી દુનિયાને આ વાત છુપાવવા માટે મસુદ અઝહર પર અનેક પ્રતિબંધો અગાઉ લાગ્યા જ હોવાનુ રટણ કરવામાં આવી રહ્યુ છે. અઝહર પર હથિયાર ખરીદ વેચાણ કરવાનો પણ આરોપ છે.

જ્યારે પાકિસ્તાન વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યુ હતુ કે પાકિસ્તાન તમામ રીતે આંતરરાષ્ટ્રીય સમુદાયનો સહયોગ કરશે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલી સુચના અનુસાર જણાવ્યુ હતુ કે સરકારે જે આદેશ આપ્યો છે તેનાથી ખુશી થઇ રહી છે, અઝહરની વિરુધ્ધનો પ્રસ્તાવ નંબર 2368(2017)નો સંપુર્ણ પણ પાલન કરવામાં આવશે.

પુલવામાં થયેલા હુમલની જવાબદારી જૈશે સ્વિકારી હતી.કશ્મીરના પુલવામાં થયેલા આંતકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જેમાં આંતકી સંગઠન જૈશે તમામ જવાબદારી સ્વીકારી હતી. જ્યારે મસુદ અઝહર આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંચાલક છે. આ હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધો વણસ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details