ગુજરાત

gujarat

ETV Bharat / international

મુશર્રફે રાજદ્રોહના કેસમાં કોર્ટના નિર્ણયને પડકાર્યો - latest news of musharraf case

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને વિશેષ અદાલતે ઉચ્ચ રાજદ્રોહ કેસમાં મોતની સજા ફટકારી હતી. જેને લઈ મુશર્રફે નિર્ણયને પડકારતી પીટીશન લાહોર કોર્ટમાં કરી છે. જેની સુનાવણી 9 જાન્યુઆરી 2020ના રોજ થશે.

મુશર્રફ
મુશર્રફ

By

Published : Dec 28, 2019, 8:41 AM IST

મળતી માહિતી પ્રમાણે, ઈસ્લામાબાદ સ્થિત વિશેષ કોર્ટમાં 17 ડિસેમ્બરે મુશર્રફને રાજદ્રોહનો ગુનો સાબિત થતાં તેને મોતની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર એક સૈન્ય પ્રમુખને રાજદ્રોહના ગુનો સાબિત થતાં મોત સજા કરાઈ હતી.

કોર્ટના નિર્ણય બાદ મુશર્રફના વકીલ અઝહર સિદ્દકીએ કોર્ટના નિર્ણયને પડકારતી 86 પાનાંની અરજી તૈયાર કરી હતી. જેમાં સંઘીય સરકાર સહિત અન્ય લોકોના નામ પણ સામેલ કરાયા છે. તેમજ નિર્ણયને પડકારતા 66 મુદ્દાઓ રજૂ કર્યા છે. આ સાથે નિવેદનની વિસંગતતા અને વિરોધાભાસી નિવેદનો જણાવ્યા છે.

અરજીમાં લખ્યું છે કે, "અમે કાયદાની પ્રવર્તન એજન્સીઓને નિર્દેશ કરીએ છે તેઓ આરોપી મુશર્રફને પકડવાનો પ્રયાસ કરે. સાથે એ પણ નક્કી કરે કે, તેને સજા કેવી રીતે આપવી અને સજા દરમિયાન તેનું મૃત્યુ થાય તો તેના મૃતદેહને સંસદમાં ઢસેડી લાવવામાં આવે અને 3 દિવસ સુધી તેને ફાંસીએ લટકાવવામાં આવે."

ઉલ્લેખનીય છે કે, મુશર્રફ હાલ દુબઇમાં છે ગંભીર બીમારીના પગલે સારવાર લઈ રહ્યાં છે. ત્યારે આ અરજી અંગેની સુનાવણીની તારીખ 9 જાન્યુઆરી 2020માં જાહેર કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details