ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતે પાક પર સાધ્યું નિશાન, કોરોના મહામારી વચ્ચે પણ આતંકવાદને આપ્યું સમર્થન

'વર્લ્ડ યહૂદી કોંગ્રેસ' ના ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામને સંબોધન કરતી વખતે ભારતે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું હતું કે, જ્યારે કોવિડ -19માં તમામ દેશો રોગચાળાને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે કેટલાક દેશો સરહદ પારથી સામાન્ય રીતે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત હતા.

By

Published : Nov 18, 2020, 10:08 AM IST

ભારતે પાક પર સાધ્યું નિશાન, કોરોના મહામારી વચ્ચે પણ આતંકવાદને આપ્યું સમર્થન
ભારતે પાક પર સાધ્યું નિશાન, કોરોના મહામારી વચ્ચે પણ આતંકવાદને આપ્યું સમર્થન

  • ભારતે પાકિસ્તાન પર સાધ્યું નિશાન
  • કોરોના મહામારી વચ્ચે આતંકવાદને આપ્યું સમર્થન
  • સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ પર 'નિર્ણાયક' રીતે બોલવું જોઈએ

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન તરફ નિશાન સાધતા કહ્યું કે, કોવિડ -19 મહામારી પણ કેટલાક દેશોને સરહદ આતંકવાદને સમર્થન આપતા રોકી શક્યું નથી. આ સાથે ભારતે એ વાત પર ભાર મૂક્યો કે, સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ પર 'નિર્ણાયક' રીતે બોલવું જોઈએ.

ભારત દરેક ભેદભાવનો વિરોધ કરે છે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, ભારત વિશ્વમાં તમામ પ્રકારના યહૂદી વિરોધ, ધાર્મિક કારણોસર તમામ પ્રકારના ભેદભાવનો વિરોધ કરે છે. આપણે જાણીએ કે, એવા દેશો છે કે જેઓ વિશ્વના અન્ય ભાગોમાં ધર્મના આધારે વિભાજનકારી નફરત ફેલાવવામાં આ રોગચાળોનો લાભ લઈ રહ્યા છે.

પાકિસ્તાન પર સાધ્યું નિશાન

તેમણે કોઈ પણ દેશનું નામ લીધા વગર કહ્યું કે, કોવિડ -19 રોગચાળો પણ તેને સીમાપાર આતંકવાદને ટેકો આપવા અને નિર્દોષ લોકોની હત્યા કરવા માટેના ધાર્મિક તિરસ્કારથી બચાવી ન શક્યો.

ABOUT THE AUTHOR

...view details