ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વમાં કોરોનાથી 7.77 લાખથી વધુ લોકોનાં મોત, જાણો વૈશ્વિક આંકડા - વિશ્વમાં કોવિડ 19

કોરોના વાઇરસના વિશ્વવ્યાપી રોગચાળા (COVID-19) એ લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચેપનો પહેલો કેસ પ્રકાશમાં આવ્યા બાદ કોરોનાના સંક્રમણના કારણે 7.77 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં, 2,20,41,648 કરતા વધુ લોકો આ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે.

By

Published : Aug 18, 2020, 10:02 AM IST

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસના કારણે 18 ઓગસ્ટ (ભારતીય સમય)ના સવારે 10 વાગ્યા સુધી 777,201થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

વિશ્વમાં કોરોનાના કેસની કુલ સંખ્યા

વિશ્વવ્યાપી 2,20,41,648 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. જો કે, આ આંકડા સતત બદલાતા રહે છે. માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં 1,47,83,846થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. દુનિયાભરમાં 64,80,601થી વધુ કેસ સક્રિય છે, જેમાંથી લગભગ એક ટકા, એટલે કે 62,078 થી વધુ કેસ ગંભીર છે. આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details