હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસે દુનિયાભરમાં 8 જુલાઇની સવારે 10 વાગ્યા સુધી (ભારતના સમય પ્રમાણે) 545,652 થી વધુ લોકોનાં મોત થઇ ચુક્યા છે.
દુનિયાભરમાં 5.46 લાખથી વધુ લોકોનાં મોત... - Number of corona virus patients in India
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા પછી કોરોના સંક્રમણથી 5.46 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 11,941,783થી વધુ લોકો આ મહામારીની ચપેટમાં છે.
![દુનિયાભરમાં 5.46 લાખથી વધુ લોકોનાં મોત... etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:26:28:1594194988-7936588-950-7936588-1594181594774.jpg)
દુનિયાભરમાં 5.46 લાખથી વધુ લોકોનાં મોત કોરોના સંક્રમણનથી મોત
દુનિયાભરમાં 11,941,783 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જણાવવામાં આવેતો આ આંકડા સતત બદલાતા રહે છે.
આંકડાઓના મુજબ સમગ્ર વિશ્વમાં 6,895,546થી વધુ લોકો કોરોના વાઇરસને માત આપી ચુક્યા છે અને વિશ્વભરમાં 4,507,933થી વધુ કેસ એકટિવ છે. જેમાંથી લગભગ એક ટકા એટલે કે 58,227 કેસો ગંભીર પ્રકારના છે. આ આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.