ફ્રૈંકફર્ટ: વૈશ્વિક સ્તર પર હવાઈ મુસાફરીએ ધીમે-ધીમે શરુ થઈ રહી છે, પરંતુ વર્ષ 2024 પહેલા કોવિડ-19ની પહેલાની સ્થતિ પર આવવાના કોઈ એંધાણ નથી.
2024 પહેલા હવાઈ મુસાફરીમાં કોઈ સુધારો થવાના સંકેતો નથી - Alexandre de Juniac
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારી સતત વધી રહી છે. જેને લઈ હવાઇ મુસાફરીના ક્ષેત્રમાં કોઈ સુધારાના સંકેતો જોવા મળતા નથી. વૈશ્વિક સંગઠન ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું માનવું છે કે, વર્ષ 2024 સુધી હવાઈ મુસાફરી ક્ષેત્ર કોવિડ-19 કટોકટી પહેલાની જેમ સ્થિતિમાં રહેશે નહીં.
વિમાન કંપનીઓના વૈશ્વિક સંગઠન ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ વાત કરી છે. અમેરિકા અને અન્ય વિકાસશીલ દેશોમાં કોરોના વાઈરસના સંક્રમણ રોકવાનું નામ લેતું નથી, જેને લઈ IATAએ કોવિડ-19 સ્થિતિને પુનર્સ્થાપિત કરવા માટેના અંદાજિત સમયમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
આઈએટીએના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન પીયર્સે ઓનલાઈન સંમેલનમાં કહ્યું કે, એપ્રિલમાં હવાઈ મુસાફરી બંધ હોવાને કારણે આ ઉદ્યોગ મંદ થયો હતો. આ ઉદ્યોગ ફરી ધમધમતો જોવા મળી રહ્યો છે, પરંતુ ખરાબ બાબત એ છે કે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા મળી રહ્યો નથી.