ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારત-અમેરિકાની હાકલ, મ્યાનમારમાં લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના થાય - મ્યાનમાર

મ્યાનમારમાં બળવા સામે કડક વલણ અપનાવતા અમેરિકા અને ભારતે લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના, હિંસાના ઉપયોગનો અંત અને તમામ રાજકીય કેદીઓની મુક્તિની હાકલ કરી છે.

ભારત-અમેરિકાની હાકલ, મ્યાનમારમાં લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના થાય
ભારત-અમેરિકાની હાકલ, મ્યાનમારમાં લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના થાય

By

Published : Sep 25, 2021, 6:45 PM IST

  • ભારતે અટકાયત કરાયેલા નેતાઓને મુક્ત કરવા જણાવ્યું હતું
  • આંગ સાન સૂચીના નેતૃત્વવાળી પાર્ટીએ મ્યાનમારમાં સત્તા કબજે કરી
  • લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપનાઃ ભારત-અમેરિકા

વોશિંગ્ટન: મ્યાનમારમાં બળવા સામે કડક વલણ અપનાવતા અમેરિકા અને ભારતે લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના, હિંસાનો ઉપયોગ બંધ કરવા અને તમામ રાજકીય કેદીઓની મુક્તિની હાકલ કરી છે.

શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પ્રથમ સીધી દ્વિપક્ષીય બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ મ્યાનમાર પર આસિયાન દ્વારા સંમત થયેલી પાંચ-પોઈન્ટ વ્યવસ્થાનો તાત્કાલિક અમલ કરવાની પણ હાકલ કરી હતી.

સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, "બંને નેતાઓએ મ્યાનમારમાં લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના, હિંસાનો ઉપયોગ બંધ કરવા અને તમામ રાજકીય કેદીઓની મુક્તિની હાકલ કરી હતી." બિડેન અને મોદીએ મ્યાનમાર પર આસિયાન દ્વારા સંમત થયેલ પાંચ-પોઇન્ટ સર્વસંમતિના તાત્કાલિક અમલ કરવાનું કહ્યું

3,400 લોકોની અટકાયત કરવામાં આવી

મહત્વનું છે કે, 1 ફેબ્રુઆરીના રોજ આંગ સાન સૂચીના નેતૃત્વવાળી પાર્ટીની ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સેનાએ મ્યાનમારમાં સત્તા કબજે કરી અને કટોકટીની સ્થિતિ જાહેર કરી.મળતી માહિતી મુજબ, ત્યાંની સૈન્ય સરકાર દ્વારા સૂચી સહિત 3,400 લોકોની અટકાયત કરવામાં આવી છે.

એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) એ ગયા મહિને સર્વસંમતિથી પાંચ મુદ્દાની વ્યવસ્થા તૈયાર કરી હતી જેમાં મ્યાનમારમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવાની અને તમામ પક્ષોએ સંપૂર્ણ સંયમ રાખવાની હાકલ કરી હતી .તેમજ તમામ પક્ષોએ લોકોના હિતમાં શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે રચનાત્મક ચર્ચા કરવી જોઈએ.

ભારતે ભૂતકાળમાં મ્યાનમારમાં થયેલી હિંસાની નિંદા કરી હતી

આ પાંચ મુદ્દામાં જણાવ્યુ છે કે, આસિયાન બેન્ચના વિશેષ દૂત સંવાદ પ્રક્રિયાને આગળ વધારવા માટે મધ્યસ્થી કરશે, જે આસિયાનના મહાસચિવ દ્વારા મદદ કરવામાં આવશે. તેમાં એમ પણ જણાવ્યમાં આવ્યું છે કે આસિયાન માનવતાવાદી સહાય પૂરી પાડશે, યુનિયનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોઓર્ડિનેશન સેન્ટર ઓફ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સની સાથે સાથે, મ્યાનમારમાં તમામ દૂતોને મળવા માટે ખાસ દૂતો અને પ્રતિનિધિમંડળોની પણ મદદ કરશે.

ભારતે ભૂતકાળમાં મ્યાનમારમાં થયેલી હિંસાની નિંદા કરી હતી અને ત્યાંના જાન -માલના નુકશાન પર શોક વ્યક્ત કર્યો હતો. તમામ પક્ષોને સંયમ રાખવા અને અટકાયત કરાયેલા નેતાઓને મુક્ત કરવા જણાવ્યું હતું.

નવી દિલ્હીએ મ્યાનમારની પરિસ્થિતિના શાંતિપૂર્ણ સમાધાન અને લોકશાહીની પુનઃસ્થાપના માટે તેની પ્રતિબદ્ધતા પણ રેખાંકિત કરી હતી.

આ પણ વાંચોઃ ભારત દુનિયાનું સૌથી મોટુ કોરોના રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે : મોદી

આ પણ વાંચોઃ મ્યાનમારમાં સંઘર્ષ, પોલીસકર્મીઓએ ભારતનો આશરો લીધો

ABOUT THE AUTHOR

...view details