મ્યાંમારમાં ભૂસ્ખલન થતાં 51 લોકોનાં થયાં મોત - Myanmar news
યંગૂન: મ્યાંમારના મૉન રાજ્યમાં ભૂસ્ખલનમાં મૃત્યાંક 51 સુધી પહોંચ્યો છે. ત્યારે હજુ આ આંકડામાં વધારો થવાની શક્યતા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રેસક્યુ ટીમે રવિવારના રોજ કાટમાળમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

મ્યાંમારમાં ભૂસ્ખલન થતાં 51 લોકોનાં થયાં મોત
શુક્રવારના રોજ મ્યાંમારના મૉન રાજ્યમાં આવેલાં પાઉંગ શહેરમાં ભૂસ્ખલન સર્જાયું હતું. જેમાં 51 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. તો કેટલાંક લોકો ગંભીર રીતે ઘવાયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મૃત્યુના આંકડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.