ગુજરાત

gujarat

By

Published : Feb 16, 2020, 7:52 PM IST

ETV Bharat / international

શ્રીલંકન નેવીએ 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકન નેવીએ 11 ભારતીય માછીમારોની તેમના સમુદ્રી વિસ્તારમાં માછલી પકડવા બદલ ધરપકડ કરી છે.

11 Indian fishermen arrested by Sri Lankan Navy
શ્રીલંકામાં 11 ભારતીય માછીમારોની કરી ધરપકડ

કોલંબો: શ્રીલંકાના નૌકા દળે 11 ભારતીય માછીમારોની ધરપકડ કર્યાની માહિતી નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ આપી છે.

શ્રીલંકાની નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માછીમારોને શનિવારે અલાનાથિવુ દ્વીપના ઉત્તર તટ પરથી પકડી પાડ્યા છે અને તેમની ત્રણ બોટ પણ કબ્જામાં લીધી છે. શ્રીલંકાના નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માછીમારો અને તેમની બોટ તટીય સંરક્ષણ વિભાગ થકી જાફના, મત્સ્ય નિર્દેશાલયને સોંપી દેવાશે.

મહિનાથી કરાઈ રહે દેખરેખના કારણે શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછલી પકડનારા ભારતીય માછીમારોમાં ઘટાડો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details