ગુજરાત

gujarat

ETV Bharat / international

Violence in Eastern Colombia : પૂર્વીય કોલમ્બિયાની હિંસામાં 24 લોકોના મૃત્યુ, 50 લોકો ગુમ - અરૌકા કોલમ્બિયામાં તેલના કુવાઓ

અરૌકામાં ગેરિલા જૂથ નેશનલ લિબરેશન આર્મી અને FARCના ભૂતપૂર્વ સભ્યો વચ્ચે હિંસા(Violence in Eastern Colombia) ફાટી નીકળી છે. જેમણે શાંતિ સોદામાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે બંને જૂથો આ વિસ્તારમાં ડ્રગની દાણચોરી(Drug smuggling Colombia) પર તેમના નિયંત્રણ માટે લડી રહ્યા છે.

Violence in Eastern Colombia : પૂર્વીય કોલમ્બિયાની હિંસામાં 24 લોકોના મૃત્યુ, 50 લોકો ગુમ
Violence in Eastern Colombia : પૂર્વીય કોલમ્બિયાની હિંસામાં 24 લોકોના મૃત્યુ, 50 લોકો ગુમ

By

Published : Jan 4, 2022, 12:13 PM IST

બોગોટા: કોલંબિયાના પૂર્વીય રાજ્ય અરૌકામાં વિદ્રોહી જૂથો વચ્ચેની અથડામણમાં(Clashes Between Rebel Groups in Arauca) આ સપ્તાહના અંતે હિંસામાં(Violence in Eastern Colombia) ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે અને 20 લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. કોલંબિયાની સરકાર રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ ઓફ કોલમ્બિયા(FARC) સાથે 2016ના શાંતિ કરાર પછી હત્યાના દરને ઘટાડવામાં સફળ રહી હતી, પરંતુ હિંસાના તાજેતરના વધારાથી તેને ફટકો પડ્યો છે. સરકાર દેશના ગ્રામીણ વિસ્તારોમાં હિંસા રોકવા માટે સંઘર્ષ કરી રહી છે, જ્યાં નાના વિદ્રોહી જૂથો અને ડ્રગની દાણચોરી કરનારા સંગઠનો દાણચોરીના માર્ગો, ગેરકાયદેસર ખાણકામ અને અન્ય બાબતોને લઈને એકબીજાની વચ્ચે લડી રહ્યાં છે.

બંને જૂથો ડ્રગની દાણચોરીના નિયંત્રણ માટે લડી રહ્યા છે.

અરૌકા કોલમ્બિયાના કેટલાક સૌથી મોટા તેલના કુવાઓ(Oil wells in Arauca Colombia) ધરાવે છે અને તે પાઇપલાઇન પણ પસાર કરે છે. જેના પર બળવાખોર જૂથો દ્વારા નિયમિતપણે હુમલો કરવામાં આવે છે અને ચોરી કરવામાં આવે છે. કોલંબિયાની સૈન્યએ(Colombian Army) સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અરૌકામાં ગેરિલા જૂથ નેશનલ લિબરેશન આર્મી(Guerrilla group National Liberation Army in Arauca) અને FARCના ભૂતપૂર્વ સભ્યો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમણે શાંતિ સોદામાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે બંને જૂથો આ વિસ્તારમાં ડ્રગની દાણચોરી(Drug Smuggling in Colombia) પર તેમના નિયંત્રણ માટે લડી રહ્યા છે.

50 લોકો ગુમ, 27 મૃતકોનો અહેવાલ મળ્યો

માનવાધિકાર અધિકારી જુઆન કાર્લોસ વિલાટે કોલંબિયાના બ્લુ રેડિયોને જણાવ્યું હતું કે તેમને સપ્તાહના અંતે 50 લોકો ગુમ અને 27 મૃતકોના અહેવાલો પ્રાપ્ત થયા છે. હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે, તેને 24 લોકોના મૃત્યુ ઉપરાંત બળજબરીથી વિસ્થાપન અને અપહરણના અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચોઃ Violence Against Women In Surat: શારીરિક સંબંધની ના પાડતા કરોડપતિ બાપના દીકરાએ આર્મીમેનની પુત્રીને માર્યો ઢોરમાર

આ પણ વાંચોઃ Lakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યપ્રધાનનો પુત્ર આશિષ મુખ્ય આરોપી

ABOUT THE AUTHOR

...view details