ગુજરાત

gujarat

ETV Bharat / international

મેક્સિકોમાં વ્યસન મુક્તિ કેન્દ્ર પર હુમલો, 24 લોકોના મોત - મેક્સિકોમાં વ્યસન મુક્તિ કેન્દ્ર પર ફાઇરિંગ

મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યમાં એક નશા મુક્તિ કેન્દ્રમાં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં 24 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના અંગે રાજ્યપાલ ડિગો સિન્હુઇએ કહ્યું કે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ડ્રગની દાણચોરી કરનારી કોઇ ગેંગ દ્વારા આ ઘટનાને અંજામ આપાવમાં આવ્યો છે.

મેક્સિકોમાં  વ્યસન મુક્તિ કેન્દ્ર  પર હુમલો
મેક્સિકોમાં વ્યસન મુક્તિ કેન્દ્ર પર હુમલો

By

Published : Jul 2, 2020, 4:17 PM IST

મેક્સિકો સિટી: મેક્સિકોના એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક બંદૂકધારીઓએ ફાઇરિંગ કર્યું હતું. જેમાં 24 લોકોના મોત થયા હતા તથા સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેન્દ્રનું રજિસ્ટ્રેશન પણ નથી.

પ્રાપ્ત વિગત અનુસાર બુધવાર રોજ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યના આરાપાઉટો શહેરમાં આવેલા નશા મુક્તિ કેન્દ્ર (ડ્રગ્સ રિહેબિલિટેશન)માં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 24 લોકોના મોત થયા હતા જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરોએ કોઇનું અપહરણ નથી કર્યું. જોકે, હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી.

પોલીસના જણાવ્યા અનુસાર સાત ઘાયલમાંથી ત્રણની હાલત ગંભીર છે. ગુઆનાજુઆટોમાં મેક્સિકન ક્રાઇમ ગ્રુપ જલિસ્કો કાર્ટેલ અને એક લોકલ ગેંગની વચ્ચે ખુની ખેલ થતો રહેતો હોય છે. ગુઆનાજુઆટો રાજ્યના ગવર્નર અનુસાર આ હુમલા પાછળ માદક દ્રવ્યોની તસ્કરી કરતા ગ્રુપની સંડોવણી હોઇ શકે છે. ગત મહિને પણ આવો એક હુમલો થયો હતો.

ABOUT THE AUTHOR

...view details