ગુજરાત

gujarat

By

Published : Jun 6, 2022, 3:43 PM IST

ETV Bharat / entertainment

સુનીલ દત્તની 93મી જન્મજયંતિ પર ભાવુક થયા સંજુ બાબા, કહ્યું આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું

આજે (5 જૂન) બોલિવૂડ અભિનેતા સંજય દત્તના પિતા અને દિગ્દર્શક-અભિનેતા સુનીલ દત્તની જન્મજયંતિ (sunil dutt 93rd birth anniversary) છે. આ અવસર પર સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક સંદેશ લખીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સુનીલ દત્તની 93મી જન્મજયંતિ પર ભાવુક થયા સંજુ બાબા, કહ્યું આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું
સુનીલ દત્તની 93મી જન્મજયંતિ પર ભાવુક થયા સંજુ બાબા, કહ્યું આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું

મુંબઈ:બોલિવૂડ અભિનેતા સંજય દત્તે સોમવારે તેમના પિતા સુનીલ દત્તને તેમની 93મી જન્મજયંતિ (sunil dutt 93rd birth anniversary) પર શ્રદ્ધાંજલિ આપી હતી. 'KGF ચેપ્ટર 2' ફેમ અભિનેતાએ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત 'મુન્નાભાઈ MBBS'ની તસવીરો શેર કરી છે. તેણે કહ્યું કે દિવંગત અભિનેતા હંમેશા તેનો 'હીરો' રહેશે. ( Sanjay Dutt emotional post) ફિલ્મ મુન્નાભાઈ તેની પિતા સાથેની છેલ્લી ફિલ્મ હતી.

આ પણ વાંચો:સલમાનને મળ્યો ધમકી ભર્યો પત્ર, જાણો શુ લખ્યુ હતુ પત્રમાં

અમારા જીવનમાં આધારસ્તંભ બનવા બદલ આભાર: સંજય દત્તે ટિ્વટર પર લખ્યું, 'હું આજે જે કંઈ પણ છું, તમારા વિશ્વાસ અને પ્રેમને કારણે છું. ( Sanjay Dutt emotional post) તમે મારા હીરો હતા અને હંમેશા રહેશે. હેપ્પી બર્થડે પપ્પા. સુનીલ દત્તની પુત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયા દત્તે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તેણે લખ્યું, 'સૌથી સુંદર, સુંદર, મહેનતુ, સજ્જનને જન્મદિવસની શુભેચ્છા. હું ગર્વથી કહું છું કે તે મારા પિતા છે, મારા 'હીરો' છે. તેણે માપદંડો એટલા ઊંચા કરી દીધા છે કે હવે તેના જેવું કોઈ બની શકે નહીં. લવ યુ પપ્પા... અમારા જીવનમાં આધારસ્તંભ બનવા બદલ આભાર.'

સુનીલ દત્તની રાજકીય કારકિર્દી: તમને જણાવી દઈએ કે કલાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે 1968માં 'પદ્મશ્રી'થી સન્માનિત સુનીલ દત્ત 1950 અને 1960ના દાયકા દરમિયાન હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંના એક હતા. તેણે ક્લાસિક 'મધર ઈન્ડિયા' સહિત ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. સુનીલ દત્તની રાજકીય કારકિર્દી પણ ઘણી સફળ રહી. પાંચ વખત સાંસદ બનેલા દત્તે 1984માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની પ્રથમ ચૂંટણી લડી હતી અને 2004માં મનમોહન સિંહ સરકારમાં રમતગમત અને યુવા બાબતોના પ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો:અંબાણી પરિવારે ફરી દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું, પૂત્રવધૂ માટે યોજી આરંગેત્રમ સેરેમની

સુનિલ દત્તનું 25 મે 2005ના રોજ 75 વર્ષની વયે નિધન : તેની અભિનય કારકિર્દી દરમિયાન, તે તેની ભાવિ પત્ની, અભિનેત્રી નરગીસને મળ્યો. તેમની અન્ય લોકપ્રિય ફિલ્મોમાં 'ગુમરાહ', 'વક્ત', 'હમરાજ', 'ખાનદાન', 'મિલન', 'રેશ્મા ઔર શેરા', તેમજ 'પડોસન'નો સમાવેશ થાય છે. સુનિલ દત્તનું 25 મે 2005ના રોજ 75 વર્ષની વયે તેમના બાંદ્રા નિવાસસ્થાને હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details