ગુજરાત

gujarat

By

Published : Feb 6, 2023, 10:05 AM IST

Updated : Feb 6, 2023, 10:46 AM IST

ETV Bharat / entertainment

Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન

બોલિવૂડની અભિનેત્રી કિયારા અડવાણી (Sidharth Kiara Wedding) અને અભિનેતા સિદ્ધાર્થ મલહોત્રા બન્ને લગ્ન માટે જેસલમેર પહોંચી ગયા છે. ગઈકાલથી લગ્નની તૈયારી શરુ થઈ ગઈ છે. આ કપલના લગ્નને લઈને ચર્ચા ચારેકોર થઈ રહી છે. ત્યારે લગ્ન તારીખ 6 ફેબ્રુઆરીના રોજ થવાના હતા, પરંતુ હવે આ વગ્ન 6 ફેબ્રુઆરીએ થશે (sidharth kiara marriage date) નહિં.

Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન
Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન

જયપુર: સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નના ફંક્શનમાં કોઈ પણ સ્ટાફ સેલફોન લઈ જઈ શકે નહીં. કપલે તેમના મહેમાનો અને હોટેલ સ્ટાફને સોશિયલ મીડિયા પર તસવીરો શેર ન કરવા કહ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્નની પ્રથમ તસવીરો પોસ્ટ કરશે. રાજસ્થાન સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બીજા સ્ટાર લગ્નના સાક્ષી બનવા માટે તૈયાર છે, જે 2023 ના પ્રથમ બોલિવૂડ લગ્ન રણ રાજ્યમાં છે. આ ઉપરાંત વાહન વ્યવસ્થા પણ આયોજન બદ્ધ કરવામાં આવશે. જાણો આ કપલના લગ્નની નવી તારીખ કઈ છે.

આ પણ વાંચો:Pervez Musharraf Bollywood: સંજય દત્તને મળવા પર થયા ટ્રોલ, આવો હતો પરવેઝ મુશર્રફનો બોલિવૂડ સાથે સંબંધ

મેરેજ ડેટ: બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. રવિવારે કિયારાના હાથ પર સિદ્ધાર્થનું નામ લગાવવામાં આવ્યું હતું. લગ્નની હલ્દી તારીખ 6 ફેબ્રુઆરીની સવારે થવાની ધારણા છે. સાંભળ્યું અને વાંચ્યું કે, સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન તારીખ 6 ફેબ્રુઆરીના રોજ થશે. પણ હવે એવું નથી. આ કપલ તારીખ 6 ફેબ્રુઆરીએ થશે નહિં, તો ચાલો આવો જાણીએ કે, આ બોલિવૂડ કપલના લગ્નની યોગ્ય તારીખ કઈ છે.

Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન

બોલિવૂડ કલાકાર: આ કપલના લગ્નમાં હાજરી આપવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ જેસલમેર પહોંચી ગયા છે. રવિવારે રાત્રે બોલિવૂડ એક્ટ્રેસ કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણી તેના પતિ સાથે જેસલમેર પહોંચ્યાં હતા. જ્યાં પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કર્યા હતા. આ પહેલા બોલિવૂડ ડાયરેક્ટર કરણ જોહર અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સહિત ઘણા સેલેબ્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન

આ પણ વાંચો:Kiara Advani Bridal Look : સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બ્રાઈડલ લુકમાં લાગી રહી સુંદર

લગ્નની નવી તારીખ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ તેમના ફેન્સનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. સમાચાર હતા કે આ કપલ તારીખ 6 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કરશે. પરંતુ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારાના લગ્ન તારીખ 6 ફેબ્રુઆરીએ નહીં થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોલિવૂડ કપલ 7 ફેબ્રુઆરીએ જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં લગ્ન કરશે. લગ્ન પછી એ જ દિવસે સિદ્ધાર્થ અને કિયારા ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.

Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન

કિયારા અને સિદ્ધાર્થનો પહેરવેશ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નના આઉટફિટ્સ માટે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને પસંદ કર્યા છે. કિયારાએ લગ્ન માટે હાથીદાંત અને લાલ રંગનો લહેંગા પસંદ કર્યો છે. બીજી તરફ, સિદ્ધાર્થ લાલ શફા સાથે ઓફ-વ્હાઈટ શેરવાનીમાં જોવા મળશે.

Last Updated : Feb 6, 2023, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details