ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથે અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ અંગે કર્યું ટ્વિટ, જુઓ અહિં વીડિયો

આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ અંગે નવા સમાચાર સામે આવ્યા છે. અગાઉ તેઓ મુંબઈમાં એક રેસ્ટોરન્ટ બહાર જોવા મળ્યાં હતાં. હાલ રાઘવ અને પરિણીતી ચોપરા અંગે એક ટ્વિટ કરવમાં આવ્યું છે. જાણો અહિં આ ટ્વિટ કોણે કર્યું ? અને શું કહ્યું ?

By

Published : Mar 24, 2023, 5:36 PM IST

Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથે અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ અંગે કર્યું ટ્વિટ, જુઓ અહિં વીડિયો
Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથે અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ અંગે કર્યું ટ્વિટ, જુઓ અહિં વીડિયો

નવી દિલ્હીઃદેશના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. બીજી તરફ મોદી સરનેમના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે ચર્ચામાં છે. હવે આ 2 મોટા સમાચારોએ રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે. હવે વધુ મોટા સમાચાર આવી રહ્યા છે કે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના સિક્રેટ મેરેજ બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો:Emraan Hashmi Birthday: ઈમરાન હાશ્મીનો 44મો જન્મદિવસ, જુઓ અભિનેતાના રોમેન્ટિક ગીત

સમીત ઠક્કરનું ટ્વિટ: બીજેપી સમર્થક સમીત ઠક્કરે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને લઈને એક ટ્વીટ કર્યું અને કેપ્શનમાં લખ્યું, 'પંજાબી કપલના સગાઈ માટે શુભકામનાઓ'. સાથે જ સમિતે પોતાની પ્રોફાઇલમાં લખ્યું છે કે. PM મોદી પણ તેમને ટ્વિટર પર ફોલો કરે છે. સમિત બીજેપીના સમર્થક છે અને ટ્વિટર પર તેના લાખો ફોલોઅર્સ છે. સમીત દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો એ જ વીડિયો છે જેમાં રાઘવ અને પરિણીતી મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. સમિતના જણાવ્યા અનુસાર અહીં જ કપલની સગાઈ થઈ હતી.

આ પણ વાંચો:Kamal Hassan Tweet: કમલ હાસને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં સમર્થન આપી કહ્યું, રાહુલજી હું તમારી સાથે ઉભો છું

સગાઈ માટે અભિનંદન પાઠવ્યા: ટ્વિટમાં સમિતે કપલને તેમની સગાઈ માટે અભિનંદન પણ પાઠવ્યા છે. મુંબઈમાં રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયાના બીજા દિવસે તારીખ 23 માર્ચે કપલ બાંદ્રામાં લંચ ડેટ પર જોવા મળ્યું હતું. અહીં 24 માર્ચે એટલે કે, આજે જ્યારે રાઘવ ચઢ્ઢાને સંસદની બહાર પરિણીતી ચોપરા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે શરમાતા કહ્યું કે, ''પરિણીતી પર નહીં પરંતુ રાજકારણ પર સવાલ કરો.'' લગ્નના સવાલ પર રાઘવે પત્રકારોને એમ પણ કહ્યું કે, ''તે આ અંગે અપડેટ આપશે અને સસ્પેન્સ નહીં રાખે. રાઘવના જવાબથી એક વાત નક્કી થઈ ગઈ છે કે માત્ર પરિણીતી જ તેના ઘરે દુલ્હન બનીને પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details