હૈદરાબાદ: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને ચોંકાવી દીધા અને કહ્યું કે, તેના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'ની (Koffee With Karan) આગામી સીઝન આવી રહી નથી. આ સમાચાર સાંભળીને શોના ચાહકોના ચહેરા મુરઝાઈ ગયા હતા, પરંતુ બીજા જ દિવસે કરણે તેની નવી પોસ્ટમાં કહ્યું કે શોની આગામી સિઝન આવી રહી છે, પરંતુ OTT પર. જ્યારે ચાહકોને આ વાતની જાણ થઈ તો તેમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.
આ પણ વાંચો:ધમકીના કેસમાં સલમાન ખાનને મળી બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત
એપિસોડ ચાહકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે : હવે શો સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી રહી છે કે, સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના શો 'કોફી વિથ કરણ'માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ બંને સુપરસ્ટાર ફિલ્મમેકર કરણ જોહરની સામે તેમના સવાલોના જવાબ આપતા જોવા મળશે. આ એપિસોડ ચાહકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે.