ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

કંગના રનૌતે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યા, કહ્યું પ્રેરણાદાયી સફળતાની સ્ટોરી

બોલિવૂડની 'ધાકડ' ગર્લ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન (KANGANA RANAUT CONGRATULATES MAHARASHTRA CM) પાઠવ્યા છે.

By

Published : Jul 1, 2022, 5:39 PM IST

કંગના રનૌતે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યા, કહ્યું પ્રેરણાદાયી સફળતાની સ્ટોરી
કંગના રનૌતે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યા, કહ્યું પ્રેરણાદાયી સફળતાની સ્ટોરી

મુંબઈઃ બોલિવૂડની 'ધાકડ' ગર્લ કંગના રનૌત ખુલ્લેઆમ કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ પર ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. હવે કંગના રનૌતે મહારાષ્ટ્રના નવા સીએમ બનવા પર એકનાથ શિંદેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા (KANGANA RANAUT CONGRATULATES MAHARASHTRA CM) છે. 'પંગા ગર્લ' એ નવનિયુક્ત મુખ્યપ્રધાને ( Maharashtra new CM Eknath Shinde ) વિશેષ રીતે અભિનંદન પાઠવ્યા હતા.

કંગના રનૌતે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યા, કહ્યું પ્રેરણાદાયી સફળતાની સ્ટોરી

આ પણ વાંચો:આલિયા-રણબીર હનીમૂન નહીં પણ સીધા બેબીમૂન માટે જશે! કપલ કરશે અહીં એન્જોય

અભિનંદન સર: કંગનાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકનાથ શિંદેની તસવીર શેર કરી અને લખ્યું- 'સફળતાની કેટલી પ્રેરણાદાયી સ્ટોરી... ઓટો-રિક્ષા ચલાવવાથી લઈને દેશના સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી... અભિનંદન સર.'

કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો: જણાવી દઈએ કે ગુરુવારે એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ પહેલા મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઈ હતી અને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સમગ્ર ઘટના પર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધતા પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો:રસોઈયાએ આ ટીવી કપલને આપી ધમકી, કહ્યું "200 બિહારી લાવીને તને મારી નાખીશ"

શિવ પણ તેને બચાવી શકતા નથી: પોસ્ટમાં તેણે કહ્યું હતું- 'જ્યારે પાપ વધે છે ત્યારે વિનાશ થાય છે,' અભિમાન કરનારાઓનું અભિમાન તૂટી જાય છે. જ્યારે પાપ વધે છે ત્યારે નાશ થાય છે, ત્યારે ફરીથી સર્જન થાય છે. હનુમાનજીને રુદ્રાવતાર કહેવામાં આવે છે, છતાં હનુમાન ચાલીસાને લઈને આવા નિવેદનો આપવામાં આવ્યા હતા. જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેને બચાવી શકતા નથી.

ABOUT THE AUTHOR

...view details