ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Chiranjeevi Upcoming Film: ચિંરજીવીના જન્મદિવસ પર આગામી ફિલ્મ 'મેગા 157'ની જાહેરાત - ચિરંજીવીની આગામી ફિલ્મ

સાઉથ અભિનેતા ચિરંજીવીના જન્મદિવસ પર તેમની નવી ફિલ્મોના સમાચાર સામે આવ્યા છે. હવે આ અભિનેતાની આગામી ફિલ્મ 157મી ફિલ્મના સમાચાર સામે આવ્યા છે. ચિરંજીવીની આ નવી ફિલ્મનું નામ હાલમાં 'મેગા 157' છે. સાઉથમાં આને 'વર્કિંગ ટાઈટલ' કહેવામાં આવે છે. ફિલ્મનું ઓરિજનલ નામ મેકર્સ આગામી દિવોસમાં જાહેર કરશે.

ચિંરજીવીના જન્મદિવસ પર આગામી ફિલ્મ 'મેગા 157'ની જાહેર
ચિંરજીવીના જન્મદિવસ પર આગામી ફિલ્મ 'મેગા 157'ની જાહેર

By

Published : Aug 22, 2023, 3:12 PM IST

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ અવસરે નિર્માતાઓએ પ્રોડક્શન બેનર યુવી ક્રિએશન્સ સાથેની તેમની 157મી ફિલ્મની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. આજે મેગાસ્ટારના ખાસ દિવસની તક ઝડપીને યવી ક્રિએશન્સે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચિરંજીવીની આગામી અનટાઈટલ્ડ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે.

ચિરંજીવીના જન્મદિવસ પર આગામી ફિલ્મની જાહેરાત: ચિરંજીવી જેઓ ઘણા વર્ષોથી લાખો ફોલઅર્સના દિલો પર રાજ કરે છે. તેઓ પ્રોજેક્ટમાં આગામી સમયમાં 'મેગા 157' નામના પ્રોજેક્ટમાં જોવા મળશે. જેને પ્રખ્યાત તેલુગુ ફિલ્મ પ્રોડક્શન કંપની યુવી ક્રિએશન્સ તરફથી ભંડોળ પ્રાપ્ત થશે. પ્રોજેક્ટના નિર્માતાઓએ હમણાં જ એક બેનરનું લોન્ચિગ કર્યું છે. શેર કરવામાં આવેલા પોસ્ટરમાં સ્ટારના સિમ્બોલ સાથે અદભૂત દ્રશ્ય જોવા મળે છે. આ ફિલ્મનું સાઉન્ડટ્રેક ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરવાણી દ્વારા કમ્પોઝ કરવામાં આવશે.

ચિરંજીવીની તાજેતરની રિલીઝ ફિલ્મનું પ્રદર્શન: બેક ટુ બેક બોક્સ ઓફિસ ફ્લોપ બાદ પ્રેક્ષકો ચિરંજીવીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં છે. અભિનેતા છેલ્લે 'ભોલા' શંકરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે શરુઆતના દિવસે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. 'ભોલા'એ લગભગ 16 કરોડ રુપિયાની ક્માણી કરીને આગળ વધી હતી. પરંતુ ત્યાર પછી ફિલ્મની કમાણીમાં તિવ્ર ઘટાડો થયો હતો. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ ખૂબ જ ધૂમધામથી થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ચિરંજીવીના ચાહકો 'ભોલા' ફિલ્મની નિષ્ફળતાથી ખુબ જ નિરાશ થયા હતા.

ચિરંજીવી વિશે વધુમાં જાણો: સાઉથ અભિનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિરંજીવીનો જન્મ આધ્રપ્રદેશમાં વર્ષ 1955માં થયો હતો. તેમના પ્રત્યે ચાહોકોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. તેઓ તેલુગુ ફિલ્મના સૌથી મોટા અભિનેતા છે. તેમને નેશનલ એવોર્ડ અને 4 વખત નંદી એવોર્ડ મળ્યા છે. ફિલ્મ સિવાય ચિંરજીવી રાજકારણમાં પણ સક્રિય છે. ચિરંજીવીએ સામાજિક કાર્યકર તરીકે ચેરિટી ટ્રસ્ટની સ્થાપના 1998માં કરી હતી.

  1. Gadar 2 Director: 'ગદર 2'ના દિગ્દર્શક અનિલ શર્મા અભિનેતા ઉત્કર્ષે ફિલ્મ વિશે કહી મોટી વાત, જુઓ વીડિયો
  2. Pankaj Tripathi Father Passed Away: અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારીનું 99 વર્ષની વયે નિધન
  3. Friday Night Plan Trailer: બાબિલ ખાન જૂહી ચાવલા સ્ટારર 'ફ્રાઈડે નાઈટ પ્લાન'નું ટ્રેલર રિલીઝ, જુઓ શાનદાર વીડિયો

ABOUT THE AUTHOR

...view details