ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

3 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત બદલ, કંગના રનૌતે અભિનંદન પાઠવ્યા - छत्तीसगढ़ चुनाव 2023

Assembly Elections 2023 Results: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે 3 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત પર મોદી સરકારને અભિનંદન પાઠવ્યા છે. 'ધાકડ' અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પાર્ટી માટે કેટલીક પોસ્ટ પણ કરી છે.

Etv BharatAssembly Elections 2023 Results
Etv BharatAssembly Elections 2023 Results

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 6:06 PM IST

મુંબઈઃ કંગના રનૌત બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રી છે. તે પોતાના મંતવ્યો હિંમતપૂર્વક વ્યક્ત કરે છે, પછી ભલે તે ફિલ્મ ઉદ્યોગ કે રાજકારણ સાથે સંબંધિત હોય. ચાર રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં રવિવારે વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપે ત્રણ રાજ્યોમાં મજબૂત લીડ બનાવી છે. કંગના રનૌતે પાર્ટીની આ પ્રગતિ માટે મોદી સરકારને અભિનંદન પાઠવ્યા છે.

કંગના રનૌતે ભાજપને શુભેચ્છા પાઠવી

કંગનાએ ભાજપને અભિનંદન પાઠવ્યા: કંગના રનૌતે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા કંગના રનૌતે પોસ્ટ અપલોડ કરી છે, જેનું કેપ્શન લખ્યું છે કે, 'ભારતીય જનતા પાર્ટીને ત્રણ રાજ્યોમાં ઐતિહાસિક જીત માટે હાર્દિક અભિનંદન.'

કંગના રનૌતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

પીએમ મોદીનું તુલના 'રામ' સાથે:કંગનાએ X પર પણ કેટલીક પોસ્ટ શેર કરી છે. એક પોસ્ટમાં પીએમ મોદીનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, રામ આવી ગયા છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે કે, 'તે સરખામણી હિન્દુ ભગવાન સાથે કરી રહી છે. શું હિન્દુ ધર્મમાં આની છૂટ છે?'.

કંગનાએ રીટ્વીટ કર્યું: 'હા, મંજૂરી છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, જે મારો ભક્ત છે તે મારામાં સમાઈ જાય છે, હું તે છું, તેના અને મારામાં કોઈ ભેદ નથી, આપણો ભગવાન ખૂબ પ્રેમાળ અને શાંતિપૂર્ણ છે. કોઈનો શિરચ્છેદ, કોઈક કોરડા, કંઈ નહિ, તમે પણ અમારી ટીમમાં આવો. આ સિવાય મારા ક્વોટનો અર્થ એ હતો કે મોદીજી રામજીને અયોધ્યા લાવ્યા છે, તેથી જનતા તેમને લાવી છે. પણ તમે જે સમજ્યા તે પણ ખોટું નથી.

પનૌતી ટ્રેન્ડિંગ પર પણ કોમેન્ટ કરી: 'પંગા' અભિનેત્રીએ X પર પપ્પુ પનૌતી ટ્રેન્ડિંગ પર પણ ટિપ્પણી કરી છે. તેમણે લખ્યું છે કે, 'જે સનાતન રાવણના ઘમંડથી ભૂંસાઈ ન શક્યું, જે સનાતન કંસની ગર્જનાથી ન હચ્યું, જે સનાતન બાબર અને ઔરંગઝેબના અત્યાચારથી ભૂંસાઈ ન શક્યું, તે સનાતન કેવી રીતે ભૂંસાઈ જશે? પપ્પુ પનોતીના પ્રયાસોથી!'.

કંગના રનૌતનું વર્ક ફ્રન્ટઃ કંગના છેલ્લે એક્શન ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી. ઓક્ટોબરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. અભિનેત્રી હવે પછી રાજકીય ડ્રામા 'ઇમરજન્સી'માં જોવા મળશે, જેમાં તે પૂર્વ ભારતીય પીએમ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. કંગનાએ આગામી ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.

આ પણ વાંચો:

  1. રાજનીતિમાં કંગના રનૌત અને પરિણીતી ચોપરા થઈ શકે છે સામસામે, જાણો કઈ સીટ પરથી લડી શકે છે ચૂંટણી
  2. PM મોદીની જ્યોર્જિયા મેલોની સાથેની સેલ્ફી પર કંગના રનૌતની કોમેન્ટ, જાણો #Melodi વાયરલ ફોટો પર 'ક્વીન'એ શું કહ્યું

ABOUT THE AUTHOR

...view details