ગુજરાત

gujarat

ETV Bharat / elections

PMની શપથ વિધીમાં બંગાળની રાજકીય હિંસાના પીડિત પરીવારને આમંત્રણ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રમોદી અને તેમના મંત્રીપરિષદ દ્વારા આયોજિત શપથ સમારોહમાં BIMSTEC દેશના પ્રતિનિધિઓ અને રાજનેતાઓ સિવાય 54 વિશેષ અતિથીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

By

Published : May 29, 2019, 2:26 PM IST

invitataion

ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાઓના પરિવારજનોને વિશેષ રુપે આમંત્રણ પાઠવ્યું છે.

લોકસભા 2019માં ભાજપે 303 સીટ જીતી છે, અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું પ્રદર્શન ઉલ્લેખનીય રહ્યું છે. જ્યાં તેમણે 2014માં 2 સીટ જીતી હતી અને આ વખતે 18 સીટ પર જીત દાખલ કરાવી છે.

ચૂંટણી દરમિયાન PM મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના પાર્ટી કાર્યકર્તાઓની હત્યાનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંગાળમાં થયેલી હિંસામાં ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી.

BIMSTEC દેશના નેતાઓની સાથે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોન્બે અને મોરેશિયનસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથે આવતી કાલના કાર્યક્રમમાં શામેલ થવાની પુષ્ટિ કરી છે.

ABOUT THE AUTHOR

...view details