દિલ્હી: ગાઝિયાબાદના મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક મકાનમાલિકે રૂ. 60 લાખ (Landlord wanted to grab Rs 60 lakh)ની લોન પરત ન કરવા બદલ તેના ભાડૂત (Research scholar murdered by landlord in Ghaziabad ) હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતદેહના ચાર ટુકડા કરી દીધા હતા અને તેને ગંગા નહેરમાં ફેંકી દીધો (killer cut dead body into 4 pieces after murder) હતો. મૃતકની ઓળખ અંકિત ખોકર તરીકે થઈ છે, જે પીએચડીનો વિદ્યાર્થી હતો.
ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર: મોદી નગરના રહેવાસી અંકિત ખોકરની 6 ઓક્ટોબરે હત્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે મકાન માલિક ઉમેશ શર્મા અને તેના પાંચ સહયોગીની અટકાયત કરી છે. અંકિત લખનૌની બીઆર આંબેડકર યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહ્યો હતો અને થોડા સમય પહેલા મોદીનગરમાં રહેવા આવ્યો હતો, જ્યાં તે ભાડાના મકાનમાં રહેતો હતો. અંકિતના પરિવારે મોદીનગરમાં એક જમીન વેચી હતી, જેની રકમ તેમના ખાતામાં આવી હતી. તે જ રકમમાંથી મકાનમાલિકે તેની પાસે 60 લાખ રૂપિયાની લોન માંગી હતી, જેના વિશ્વાસ પર તેણે આપી દીધી હતી. આરોપ છે કે તેણે લોન ચૂકવવી ન હતી તેથી તેણે 6 ઓક્ટોબરે આ હત્યા કરી હતી. અંકિત મૂળ બાગપતનો રહેવાસી હતો અને તેના માતા-પિતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું, જેના કારણે મકાન માલિકને લાગ્યું કે તેને શોધવા માટે કોઈ નહીં આવે.
આ પણ વાંચો:પાછો જોવા મળ્યો શ્રધ્ધાની હત્યાનો આતંક: પિતાના 30થી વધુ ટુકડા કરી બોરવેલમાં ફેંકી દીધા