હૈદરાબાદ:શહેરના ચંદનનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેપીરેડી કોલોનીમાં એક પતિએ તેની પત્ની અને બે બાળકોની હત્યા (Husband kills wife and children) કરી હતી અને તે પછી તેણે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide by hanging) કરી હતી છે. પોલીસનું માનવું છે કે પારિવારિક વિવાદના કારણે પતિએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારની રાત્રે જ્યારે પત્ની અને બાળકો સૂઈ રહ્યા હતા, ત્યારે તેણે સીવવાની કાતર વડે તેમની હત્યા કરી નાખી. ત્રણ દિવસ સુધી આ બાબતનો ખુલાસો થયો ન હતો.
હૈદરાબાદમાં સનસનીખેજ ઘટના, પત્ની અને બાળકોની હત્યા કરીને પતિએ ગળેફાંસો ખાધો - પતિએ ગળેફાંસો ખાધો
હૈદરાબાદના ચંદનનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ તેની પત્ની અને બે બાળકોની ((Husband kills wife and children) નિર્દયતાથી હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા(Suicide by hanging)કરી લીધી છે. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ હાથ ધરી છે.
![હૈદરાબાદમાં સનસનીખેજ ઘટના, પત્ની અને બાળકોની હત્યા કરીને પતિએ ગળેફાંસો ખાધો હૈદરાબાદમાં સનસનીખેજ ઘટના, પત્ની અને બાળકોની હત્યા કરીને પતિએ ગળેફાંસો ખાધો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16672388-thumbnail-3x2-murder.jpg)
પોલીસે પુષ્ટિ કરી:ત્રણ દિવસ પછી જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી તો સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોચી પોલીસે દરવાજો ખોલ્યો તો ઘટના પ્રકાશમાં આવી. નાગરાજુએ પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. તેમની પત્ની સુજાતા અને બે બાળકો - પુત્ર સિદ્ધપ્પા અને પુત્રી રમ્યશ્રી પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે શરૂઆતમાં પુષ્ટિ કરી હતી કે નાગરાજે તેની પત્ની અને બાળકોને ચાકુ મારીને આત્મહત્યા કરી હતી.નાગરાજુ સંગારેડ્ડી જિલ્લાના પોટલમપાડુ ગામના રહેવાસી હતા અને ચંદનનગરમાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પત્ની સુજાતા દરજીનું કામ કરતી હતી. નાગરાજુનો 11 વર્ષનો પુત્ર સિદ્ધપ્પા પાંચમા ધોરણમાં હતો અને સાત વર્ષની પુત્રી રમ્યશ્રી બીજા ધોરણમાં ભણતી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા બાદ તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે નાગરાજુ સાયકો જેવું વર્તન કરતો હતો. તેણે તેની પત્ની અને બાળકોની હત્યા કરી. પોલીસે પણ ત્યાંથી મળેલા પુરાવાના આધારે આ વાતની પુષ્ટિ કરી છે.