ગુજરાત

gujarat

By

Published : Dec 2, 2022, 4:48 PM IST

ETV Bharat / crime

હોમગાર્ડ જવાને પત્નીને સળગાવીને મારી નાંખ્યાનો શંકાસ્પદ બનાવ

ભોજપુરમાં હોમગાર્ડ જવાનની પત્નીનું શંકાસ્પદ મોત ( Suspicious death of woman in Bhojpur ) થયુ હતું. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીને સળગાવી દેવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ ( Home guard jawan wife suspicious death in Arrah) શરૂ કરી હતી.

હોમગાર્ડ જવાને પત્નીને સળગાવીને મારી નાંખ્યાનો શંકાસ્પદ બનાવ
હોમગાર્ડ જવાને પત્નીને સળગાવીને મારી નાંખ્યાનો શંકાસ્પદ બનાવ

બિહારબિહારના આરામાં હોમગાર્ડ જવાન દ્વારા પત્નીની મારપીટ કરી જીવતી સળગાવી હોવાના શંકાસ્પદ મોતનો મામલો ( Home guard jawan wife suspicious death in Arrah) સામે આવ્યો છે. મૃતકાના બાળકો અને તેના માતાપિતાએ પતિ પર તેની હત્યા કરી લાશને ઘરમાં બંધ કરીને ફરાર થવાનો આરોપ લગાવ્યો છે. ઘટના જિલ્લાના બડહરા બ્લોકના સિન્હા ઓપી વિસ્તારના મૌજમપુર ગામની છે. મૃતકની ઓળખ મૌજમપુર ગામના રહેવાસી હોમગાર્ડ જવાન અમરસિંહની પત્ની રૂપા દેવી (35 વર્ષ) તરીકે થઈ છે.

મૃતકાને જવાન સતત ઝઘડતો હતોપોલીસને ઘટનાની જાણ થતાં જ ઓપી ઈન્ચાર્જ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ મામલે જાણવા મળે છે કે બખોરાપુર ગામના રહેવાસી વિનયસિંહની દીકરી રૂપા દેવીના લગ્ન 2006માં મૌજમપુર ગામના હોમ ગાર્ડ અમરસિંહ સાથે થયા હતાં. લગ્ન બાદથી જ અમરસિંહ તેની પત્ની રૂપા દેવી સાથે ઝઘડા કરતો હતો અને તેને વિવિધ રીતે ત્રાસ આપતો હતો. ગઈકાલે પણ અમરસિંહ અને રૂપા દેવી વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ અમરસિંહે પહેલાં તેની પત્ની રૂપાને માર માર્યો અને પછી તેને જીવતી સળગાવી દીધી.

ઘરના રુમમાં મળ્યો અર્ધદગ્ધ મૃતદેહઘટના બાદ અમરસિંહ લાશને રૂમમાં બંધ કરીને ઘરના દરવાજાને તાળું મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પત્નીની ઘટના અંગેની જાણ થતાં જ તેઓએ તરત જ મૃતકાના માતાપિતાને તેની જાણ કરી હતી. માતાપિતા જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે સિંહા ઓપી પોલીસને જાણ કરી અને ઘરનો બંધ દરવાજો ખોલવામાં આવ્યો હતો. જ્યાં પરિણીત મહિલાની લાશ બળેલી હાલતમાં પડેલી ( Suspicious death of woman in Bhojpur) મળી આવી હતી.

મામલાની તપાસમાં લાગી પોલીસ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈને સમગ્ર ઘટનાની તપાસ કરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના બાળકના જણાવ્યા મુજબ ગઈકાલે તેના પિતા ઘરે આવ્યા હતાં અને તેણીની માતાને માર માર્યા બાદ ત્રાસ આપવાની વાત કરતા આજે સવારે હત્યા કરી નાખી હતી. જ્યારે મૃતકાના વૃદ્ધ પિતા દિનેશસિંહે જણાવ્યું કે લગ્ન બાદથી જ તેમના જમાઈ તેમની દીકરીને મારતા હતાં.તેમણે કહ્યું કે અમારી દીકરીને જમાઇએ આગ લગાવીને મારી નાંખી. મારીને ભાગી ગયો. અમરસિંબ નામ છે.હવે તો અમારી દીકરી જતી રહી.

પતિનું નિવેદન મૃતકાના પતિ અમરસિંહે કહ્યું કે 'હું સાહાર થાનામાં ડ્યૂટી કરી રહ્યો હતો.સાંજે સૂચના મળી કે મારા ઘરમાં આગ લાગી છે અને મારી પત્ની દાઝી ગઇ છે. જે બાદ હું તરત ઘેર ગયો. તો જોયું કે મારી પત્ની મૃત હતી. લોકોએ બતાવ્યું કે મારા ઘરમાં સિલિન્ડરમાં આગ લાગી હતી જેનાતી મારી પત્ની સળગીને મરી ગઇ'.

પોલીસનું નિવેદનસિંહા ઓપી ઇન્ચાર્જ રાજીવ કુમારે કહ્યું કે મહિલાનું મોત કઇ પરિસ્થિતિમાં થયું છે એ હજુ સ્પષ્ટ નથી થઇ શક્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. રીપોર્ટ આવ્યા બાદ પૂરા મામલાનો ખુલાસો થશે.

ABOUT THE AUTHOR

...view details