ગુજરાત

gujarat

ETV Bharat / city

Violation of Corona guideline: રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના માર્ગદર્શન હેઠળ શહેરના આજવા રોડ વિસ્તાર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના સુશાસન સપ્તાહના રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનીષા વકીલના કાર્યક્રમમાં પ્રધાન સહિતના નેતાઓએ જ માસ્ક નહીં પહેરી કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.

By

Published : Dec 27, 2021, 3:31 PM IST

Updated : Dec 27, 2021, 5:50 PM IST

કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા
કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા

વડોદરા:વડોદરા શહેરના ધારાસભ્ય અને મહિલા તથા બાળકલ્યાણ વિભાગનારાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના માર્ગદર્શન હેઠળ શહેરના આજવા રોડ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના સુશાસન સપ્તાહના રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, તો પ્રધાનના કાર્યક્રમમાં જ કોરોના ગાઈડલાઈનના ધજાગરા (Violation of Corona guideline) ઉડ્યા હતા.

રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા

અનેક પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં રાજયકક્ષાના પ્રધાન મનીષા વકીલ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના અધ્યક્ષ તેમજ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વિભાગ દ્વારા બનાવવામાં આવેલી 5 જેટલી મહિલા સહાયક એપ, ટોલ ફ્રી નંબર અને મોબાઈલ પોર્ટલનું વિમોચન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત સગર્ભા માતાઓને પોષણકીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી આદેશો, ગંગા સ્વરૂપાના પુનઃ લગ્ન યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય જેવા લાભોનું અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાખરિયા અને મેવલીના આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનુ ઇ લોકાર્પણ કરાયું હતું, તો સાથે સાથે પાદરા તાલુકાના ડબકા પેટા આરોગ્ય કેન્દ્રની નવીન ઇમારતનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનના કાર્યક્રમમાં નેતાઓ માસ્ક પહેરવાનું ભૂલ્યા

રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના માર્ગદર્શનમાં યોજાયેલ કાર્યક્રમમાં મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો અને અધિકારીઓ માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા, તો પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા (Violation of Corona guideline) ઉડ્યા હતા.

સામાન્ય નાગરિકને દંડ કરતી પોલીસ નેતાઓ સામે શું કાર્યવાહી કરશે?

પોલીસ દ્વારા સામાન્ય નાગરિક માસ્કના પહેરે તો 1000 રૂપિયાનો દંડ ફટકારે છે, ત્યારે પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં પ્રધાન સહિતના નેતાઓએ જ માસ્ક નહીં પહેરી કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા, ત્યારે શું પોલીસ નેતાઓ સામે કાર્યવાહી કરશે ખરી? એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ સરકાર દ્વારા રાજકીય મેળાવડા યોજવામાં આવી રહ્યાં છે, તો કોરોનાના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો:

Omicron Cases Vadodara: ઓમિક્રોનના કેસ વધતા વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

Gmers Doctor Protest: વડોદરા GMERS ડોકટર એસો.દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

Last Updated : Dec 27, 2021, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details