ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્માર્ટ ક્લાસને લીધે ખાનગીથી સરકારી શાળામાં પ્રવેશનો પ્રવાહ - smart class gujarat

વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ કરવા માટે કલેક્ટર અતુલ ગોરએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવો ઉદ્દાત હેતું આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની 225 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. vadodara smart class trends

સ્માર્ટ ક્લાસને લીધે ખાનગીથી સરકારી શાળામાં પ્રવેશનો પ્રવાહ
સ્માર્ટ ક્લાસને લીધે ખાનગીથી સરકારી શાળામાં પ્રવેશનો પ્રવાહ

By

Published : Sep 6, 2022, 9:23 PM IST

વડોદરાઃજિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ અભિયાનના ભાગરૂપે લોકભાગીદારીથી પ્રાથમિક શાળાઓને આપવામાં આવી રહેલા સ્માર્ટ ક્લાસના ગુણાત્મક પરિણામો (vadodara smart class trends ) જોવા મળી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ થવાની સાથે જ ખાનગી શાળા છોડી છાત્રો સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા છે. આવા 75 છાત્રો ખાનગી શાળામાં શિક્ષણનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ફરી ભણવા લાગ્યા છે.

225 શાળાઓની સ્માર્ટ કલાસ માટે પસંદગી

225 શાળાઓની સ્માર્ટ કલાસ માટે પસંદગી:વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ શરૂ કરવા માટે કલેક્ટર (Vadodara district collector) અતુલ ગોરએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવો ઉદ્દાત હેતું આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની 225 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે પૈકી 73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દેવામાં આવ્યા છે.

બાળકોમાં રસ અને રુચિ કેળવશે:આ સ્માર્ટ ક્લાસમાં (smart class gujarat) એજ્યુકેશનલ મોડ્યુઅલ સાથે એક ડેશ બોર્ડ આપવામાં આવે છે. જેમાં વિવિધ ધોરણના અભ્યાસક્રમો દ્રષ્ય શ્રાવ્ય માધ્યમમાં હોય છે. ગુજરાતી અને હિંદીની કવિતાઓ ગાન સાથે અને ગણીત તથા વિજ્ઞાનના પ્રયોગો એનિમેશન સ્વરૂપમાં હોય છે. આ વિશેષતા બાળકોએ રસ સાથે અભ્યાસ કરવા માટે પ્રેરે છે.

સ્માર્ટ શાળાઓ બનતા ખાનગી શાળાને તાળા

સ્માર્ટ શાળાઓ બનતા ખાનગી શાળાને તાળા:કરજણ તાલુકાના લીલોડ ગામની વાત બહુ જ રસપ્રદ છે. ત્યાંથી સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાના છાત્રો ફરી દાખલ થયા છે. માત્ર 900 જેટલી વસતી ધરાવતા લીલોડ ગામની પ્રાથમિક શાળામાં કુલ 304 છાત્રો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પ્રત્યે એટલું સમર્પણ છે કે, આજુ બાજુના સાત ગામના છાત્રો પણ ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. એમાંય સ્માર્ટ ક્લાસ શરૂ થતાં 13 છાત્રો ફરી સરકારી શાળામાં આવ્યા છે.

કુલ 5853 છાત્રો નોંધાયા

ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર:રાજ્ય સરકાર દ્વારા લીલોડમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવવા ઉપરાંત સ્માર્ટ ક્લાસ શરૂ થતાં બાજુના ગામમાં આવેલી એક ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર આવી ગઇ છે. મોટા હબીપુરા પ્રાથમિક શાળામાં કુલ 186 બાળકો અભ્યાસ કરે છે. તેમાં ધોરણ સાત અને આઠના કુલ 54 છાત્રોને સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવતા 10 છાત્રો આ સરકારી શાળામાં ફરી ભણવા માટે દાખલ થયા છે. ગામના ખેડૂત હર્ષદભાઇ મોહનભાઇ પટેલે પોતાની પુત્રીને ફરી સરકારી શાળામાં દાખલ કરી છે. તે કહે છે, આ શાળામાં અભ્યાસ કરવાથી મારી દીકરીની બૌદ્ધિક ક્ષમતા વધવાની સાથે ઘરે લેશન પણ રૂચિ સાથે કરે છે. અભ્યાસમાં તેમનો રસ વધ્યો છે.

કુલ 5853 છાત્રો નોંધાયા

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શુ કહે છે:જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી કહે છે, અમે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જ્ઞાનકુંજ ધરાવતી 140 શાળાઓના 5778 છાત્રોને આવરી લેવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ નહોતા કરતા એવા વર્ષ 2019-20 દરમિયાન ધોરણ 6 ના ઉક્ત 5778 છાત્રોમાંથી 40 ટકા નીચે પરિણામ હોય એવા છાત્રોની સંખ્યા 982 હતી. આ ટકાવારી 17 ટકા જેટલી થવા જાય છે. જ્યારે 69 ટકા એટલે કે 4007 છાત્રોનું વાર્ષિક પરિણામ 40 થી 79 ટકા જેટલું હતું. એ જ પ્રમાણે વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ ગુણાંક ધરાવનારા છાત્રોની સંખ્યા 750 (12 ટકા) હતી.

કુલ 5853 છાત્રો નોંધાયા

કુલ 5853 છાત્રો નોંધાયા:હવે આ જ છાત્રો આ જ્યારે વર્ષ 2021-22માં ધોરણ 8 માં જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ કર્યો અને તે બાદ લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં તેના ગુણાંકમાં વધારો નોંધાયો છે. આ વર્ષમાં કુલ 5853 છાત્રો નોંધાયા હતા. જ્ઞાનકુંજમાં અભ્યાસ કર્યા બાદ અભ્યાસમાં 40 ટકા મેળવનારા છાત્રોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે. 40 થી 80 ટકા ધરાવનારા છાત્રોની સંખ્યા 69 ટકા થઇ છે. જ્યારે વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ મેળનારા છાત્રોની સંખ્યામાં 6 ટકાના વધારા સાથે 18 ટકા નોંધાઇ છે. આમ, એકંદરે ઉચ્ચ ગુણાંક મેળનારા છાત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે.

કુલ 5853 છાત્રો નોંધાયા

ABOUT THE AUTHOR

...view details