- રિવોલ્વર ઝુંટવાનો પ્રયાસ કરનારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સામે ફરિયાદ
- કંપનીના સુપરવાઈઝર સામે રિવોલ્વર તાકીને ધમકી આપ્યાની અગાઉ ફરિયાદ થઈ હતી
- નંદેસરી પોલીસે FIR નોંધીને તપાસ કરી શરૂ
વડોદરા:તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ 2 દિવસ પહેલાં લેખિત ફરીયાદ આપી હતી કે, સુપરવાઈઝરે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલની ફરીયાદ અનગઢ, રામગઢના મોકમસિંહ ઉદેસિંહ ગોહીલએ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, તેઓ રણોલીની પાનોલી ઈન્ટરમિડિયેટ કંપનીમાં સિક્યુરીટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. વાવાઝોડાંના કારણે તેમની ફેક્ટરીમાં એક ટાવર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં કંપનીના કર્મચારી આશિષ કૌશિકભાઈ ગોહીલ દબાયા હતા. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હતું.
આ પણ વાંચો: કોરોના મહામારી વચ્ચે ઉજવણી કરનારાઓ વિરુદ્ધ FIR, SHO સસ્પેન્ડ