- વડોદરા મનપાનાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
- પાલિકામાં સેનેટાઇજરની પ્રકિયા હાથ ધરાઇ
- જાહેરનામાનો ભંગ કરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
વડોદરાઃ કોરોના વાઈરસે વડોદરા શહેર સહિત સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે. ત્યારે વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંગે વાંધો ઉઠાવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેનેટાઇઝિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ જાહેરનામાં નીયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી કરવા પણ ઉલ્લેખ કર્યો હતો.
આ દરમિયાન વડોદરા શહેરના નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા પોતાના વિસ્તારમાં સેનેટાઇઝિંગની કામગીરી કરાતા ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે હવે છેલ્લા બે દિવસથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિવિધ શાખાઓમાં સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરાતા લોકમુખે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.