ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા Vadodara City Congressએ કહ્યું - કોરોનાની બીજી લહેર ઘાતક બની તે માટે સરકાર જવાબદાર - કોરોનાની બીજી લહેર

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ ( Vadodara City Congress ) પ્રમુખ, VMCના પૂર્વ વિપક્ષના નેતા, પૂર્વ સાંસદ, કાઉન્સલર્સ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Vadodara City Congress
Vadodara City Congress

By

Published : Jun 7, 2021, 2:57 PM IST

  • કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી
  • વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ સાંસદ, VMCના પૂર્વ વિપક્ષના નેતા, કાઉન્સલર્સ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
  • મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે 2 મિનિટનું મૌન પાળીને પુષ્પાંજલિ અર્પિત કરી
  • Vadodara City Congress - કોરોનાની બીજી લહેર ઘાતક બની તે માટે સરકાર જવાબદાર

વડોદરા : છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીને કારણે દર્દીઓના મોત થયા છે.ખાસ કરીને વડોદરા શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ છે.કોરોનાની આ બીજી લહેર માં ઘણા દર્દીઓના મોત નિપજયા હતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોરોના ને કારણે મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.સોમવારે વડોદરા શહેર કોંગ્રેસ ( Vadodara City Congress ) દ્વારા શહેરના મહાત્મા ગાંધીના ગૃહ ખાતે વડોદરા શહેરમાં કોરોના થી મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ સાથે જ મૃતકોના પરિવાર પર દુઃખ આવી પડ્યું છે, તેને સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી યાચના કરવામાં આવી હતી.

કોરોનાની બીજી લહેર ઘાતક બની તે માટે સરકાર જવાબદાર - Vadodara City Congress

સરકાર જનતાને ઓક્સિજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નિષ્ફળ નીવડી - Vadodara City Congress

વડોદરા શહેર કોંગ્રેસ ( Vadodara City Congress )ના પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ ન કહેવાય, આ માનવ વધ કહેવાય. કારણ કે લોકોને કોરોનાની મહામારીમાં ઓક્સિજન ન મળે વેન્ટિલેટર ન મળે, બેડ ન મળે, રેમડેસીવીર ઈન્જેકશન ન મળે એટલે પરિવારના સભ્યો જ્યારે પરિવારનો જ મોભી કે સભ્ય દાખલ થયો હોય, તો તમામ જરૂરિયાત માટે વલખા મારવા પડે છે. એવા સમયે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સદ્દતંર નિષ્ફળ રહ્યું હતું.

મોટી સંખ્યામાં લોકોએ પોતાની રજૂઆત 4 લાખ રૂપિયા માટેના ફોર્મ ભર્યા

કોંગ્રેસ પાર્ટીએ સરકારને રજૂઆત કરી કે, જે પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે. જેમને ચાર લાખ રૂપિયા આપવા જોઈએ. જેને લઈ અમે ગુગલ પર ફોર્મ પણ ભરાવ્યાં હતા અને એવા ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ પોતાની રજૂઆત 4 લાખ રૂપિયા માટેના ફોર્મ ભર્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ રાખ્યો છે. ગુજરાત કોંગ્રેસ પરિવાર વડોદરા શહેરમાં જે લોકો કોરોનાની મહામારીમાં દેવલોક પામ્યા છે. જેમણે વડોદરાના વિકાસ માટેનો પણ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે, તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે, તેમ વડોદરા શહેર કોંગ્રેસ Vadodara City Congress ) પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details