ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કલ્યાણરાયજી હવેલી ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો - વેક્સિનેશન પ્રત્યે જાગૃત યુવાનો

18 વર્ષ ઉપરના લોકો માટે શનિવારથી શરૂ થયેલા વેક્સિનેશન અંતર્ગત માંડવી ચાંપાનેર રોડ નજીક આવેલી કલ્યાણ રાયજી હવેલી ખાતે પાલિકાના સહયોગથી કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના મેયર, સાંસદ, કોર્પોરેટરો, કમિશ્નર અને દ્વારકેશલાલજી મહારાજ હાજર રહ્યા હતા.

વડોદરામાં કલ્યાણરાયજી હવેલી ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
વડોદરામાં કલ્યાણરાયજી હવેલી ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

By

Published : May 1, 2021, 4:53 PM IST

  • વડોદરા દ્વારકેશલાલજીના બન્ને પુત્રોએ પણ લીધી વેક્સિન
  • 18 વર્ષથી ઉપરના લોકો માટે શનિવારથી વેક્સિનેશનનો આરંભ કરાયો
  • વડોદરામાં ઘણા રસીકરણ કેન્દ્રો પર અવ્યવસ્થા પણ જોવા મળી

વડોદરા:દેશને કોરોના મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે, વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત શનિવારથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો આરંભ કરવામાં આવ્યો છે. વડોદરાના 76 કેન્દ્રો પર પ્રથમ દિવસે જ 10000 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. વડોદરા પાલિકાના સહયોગથી અને વિપો દ્વારા કલ્યાણ રાયજી હવેલી ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે, વડોદરાના મેયર, સાંસદ, કોર્પોરેટરો, કમિશ્નર અને દ્વારકેશલાલજી મહારાજ હાજર રહ્યા હતા.

વડોદરામાં કલ્યાણરાયજી હવેલી ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો:વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો

વેક્સિન લેવા અને વેક્સિનેશનના રજિસ્ટ્રેશન અંગે માહિતી અપાઈ

યુવાનોને વેક્સિનેશન પ્રત્યે જાગૃત કરવા દ્વારકેશલાલજી મહારાજના બન્ને પુત્રોએ પણ વેકેશન લીધી હતી. પાલિકાના સહયોગથી કલ્યાણરાયજી હવેલી ખાતે યોજવામાં આવેલા વેક્સિનેશન કાર્યક્રમમાં હાજર રહેલા શહેરના પ્રથમ નાગરિકે લોકોને વેક્સિન લેવા અને વેક્સિનેશનના રજિસ્ટ્રેશન અંગેની માહિતી આપી હતી. શનિવારે યોજાયેલા વેક્સિનેશનમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ, ઘણા રસીકરણ કેન્દ્રો પર અવ્યવસ્થા પણ જોવા મળી હતી.

આ પણ વાંચો:રાજકોટ નજીક નાકરાવાડી ગામમાં લોકોનો ભય દૂર કરવા સૌ પ્રથમ સરપંચ પરિવારે રસીકરણ કરાવ્યું

ABOUT THE AUTHOR

...view details