વડોદરા: સાવલી તાલુકાના મંજૂસર GIDC વિસ્તાર અને અન્ય ગામોમાં રોજગારી અર્થે આવી વસવાટ કરતાં પરપ્રાંતિયોએ કોરોનાના ભયથી પોતાના વતન જવાની માગ કરી હતી. જેથી સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન અરજીકર્તાઓને કલેક્ટર કચેરીએથી મંજૂરી અપાવવામાં આવી હતી. ત્યારબાદ સાવલીના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની સંકલન ટીમ દ્વારા આ તમામ 493 પરપ્રાંતિયોને રેલવે સ્ટેશન રવાના કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમને રસ્તામાં ઉપયોગી ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન મોકલાયા - ઉત્તર પ્રદેશના મજૂરો વડોદરામાં
વડોદરાના સાવલી તાલુકામાં રોજગાર અર્થે રોકાયેલા પરપ્રાંતીયોએ પોતાના વતન જવા માગ કરી હતી. જેથી સાવલીના ધારાસભ્ય અને વહીવટીતંત્ર દ્વારા સંકલન કરી તમામ મજૂરોને મોકલવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તમામ પરપ્રાંતિયોને ST બસ દ્વારા રસ્તામાં ઉપયોગી ફૂડ પેકેટ આપી વડોદરા રેલવે સ્ટેશને રવાના કરવામાં આવ્યાં છે.

વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવામાં આવ્યાં
વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવામાં આવ્યાં
કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં રોજગાર અર્થે પરપ્રાંતિય કામદારો વસવાટ કરે છે. પરંતુ કોરોના મહામારીના ભય હેઠળ અને ઘર પરિવાર પાસે જવાની ઉતાવળમાં ગુજરાત સરકારે સુંદર આયોજન કર્યું છે. દરેકને માદરે વતન મોલકવાની વહિવટી-તંત્ર દ્વારા ઓનલાઈન અરજી અને મેડિકલ તપાસ બાદ અગ્રતાક્રમ પ્રમાણે રેલવે મારફતે મોકલવામાં આવે છે.