ગુજરાત

gujarat

By

Published : Jul 13, 2022, 3:04 PM IST

ETV Bharat / city

આ શહેરના લોકોએ હવે વરસાદમાં નહીં થવું પડે હેરાન, પ્રભારી મંત્રીએ આપી સૂચના

વડોદરાના પ્રભારી મંત્રી પ્રદિપ પરમારે શહેરમાં એક બેઠક (Incharge Minister Pradip Parmar Meeting) યોજી હતી. અહીં તેમણે જિલ્લા અને શહેરમાં આગામી સમયમાં વરસાદની સ્થિતિની સમીક્ષા (Review of Rainfall conditions in Vadodara) કરી હતી. સાથે જ તેમણે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

આ શહેરના લોકોએ હવે વરસાદમાં નહીં થવું પડે હેરાન, પ્રભારી મંત્રીએ આપી સૂચના
આ શહેરના લોકોએ હવે વરસાદમાં નહીં થવું પડે હેરાન, પ્રભારી મંત્રીએ આપી સૂચના

વડોદરાઃ શહેરમાં અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થઈ ગયા હતા. સાથે જ અનેક લોકોએ નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. ત્યારે શહેર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી પ્રદિપ પરમારે એક બેઠક યોજી (Incharge Minister Pradip Parmar Meeting) હતી. અહીં તેમણે જિલ્લા અને શહેરમાં આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા (Review of Rainfall conditions in Vadodara) કરી હતી.

પ્રભારી મંત્રીએ આપ્યા મહત્વના સૂચન

પ્રભારી મંત્રીએ આપ્યા સૂચનો - પ્રભારી મંત્રીએ યોજેલી આ બેઠકમાં (Incharge Minister Pradip Parmar Meeting) વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર, મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રભારી મંત્રીએ વરસાદની આગાહીના કારણે સમીક્ષા બેઠકની સાથે જરૂરી સૂચનો પણ (Review of Rainfall conditions in Vadodara) આપ્યા હતા.

આ પણ વાંચો-વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર

તમામ વિભાગના અધિકારીઓ મોનિટરિંગ કર્યું હતું - પ્રભારી મંત્રી પ્રદિપ પરિમારે વડોદરા શહેરના તમામ વોર્ડ ઓફિસના ઓફિસર્સ, તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ 24 કલાક મોનિટરીંગ (Monitoring of rainfall conditions in Vadodara) કર્યું હતું. કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ 7 બ્રિજમાં પાણી ન ભરાય તે અંગે સૂચનો આપવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા CCTV દ્વારા વિવિધ વિસ્તારમાં ભરાતા પાણી, ખાડા, અંડર પાસમાં પાણી ભરવા જેવી તમામ પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી તાત્કાલિક ધોરણે કામગીરી થાય તેવી સૂચનાઓ આપવામાં આવી છે.

પ્રભારી મંત્રીએ આપ્યા સૂચનો

આ પણ વાંચો-કિશોરને શોધવા NDRFની ટીમ લાગી કામે, ત્રણ દિવસે મળી સફળતા

પ્રાણી સંગ્રહાલય માટે પણ વિશેષ વ્યવસ્થા કરાશે - આરોગ્યને લઈને ઈમરજન્સી 108 સાથે જ વિવિધ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે શહેરના કમાટીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને પણ વધુ પાણી ભરાય તો અન્ય સ્થળે ખસેડવાની યોગ્ય કાર્યવાહી (Arrangements for animals at the Kamatibagh Zoo) કરવામાં આવશે. જોકે, અત્યારે 60 વ્યક્તિની ટીમ તૈયાર કરવામાં આવી છે. જ્યારે વિવિધ વિભાગોના કર્મચારી, અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details