ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં Social Justice Minister Pradeep Parmar, કચ્છની ઘટના અંગે નિવેદન આપ્યું - Minister of Social Justice giving a statement on the Kutch incident

વડોદરા શહેરમાં કલ્યાણનગર ખાતે નિર્માણ થઈ રહેલા ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનની કામગીરીની સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યપ્રધાન પ્રદીપ પરમારે ( Minister for Social Justice and Empowerment Pradeep Parmar ) ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

વડોદરામાં  Social Justice Minister Pradeep Parmar, કચ્છની ઘટના અંગે નિવેદન આપ્યું
વડોદરામાં Social Justice Minister Pradeep Parmar, કચ્છની ઘટના અંગે નિવેદન આપ્યું

By

Published : Oct 30, 2021, 9:43 PM IST

  • ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવન સંસ્કારીનગરીની આગવી ઓળખ બની રહેશેઃ પ્રદીપ પરમાર
  • ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવનના નિર્માણ માટે રૂ.12.28 કરોડની ફાળવણી કરી છે
  • સ્મારક ભવનની કામગીરીની કરવામા આવી ઉચ્ચસ્તરીય સમીક્ષા

વડોદરાઃ વડોદરામાં ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનની કામગીરીની સમીક્ષા કરવા આવેલાં Minister for Social Justice and Empowerment Pradeep Parmar એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર મંદિર પ્રવેશ બાબતે જણાવ્યું કે અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનારા 6 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ 21 લાખની સહાય ચૂકવાશે. તેમ જઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને FIR દાખલ થઇ છે.

કચ્છના નેર ગામની અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે

12.28 કરોડના ખર્ચે બનશે સ્મારકભવન

વડોદરામાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવનના નિર્માણ માટે રૂ.12.28 કરોડની ફાળવણી કરી છે.આ ઉપરાંત કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિના વિકાસ માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેની કામગીરી પૂર્ણતાને આરે છે. વડોદરામાં ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવન સંસ્કારી નગરીની આગવી ઓળખ બની રહેશે. આ સ્મારક ભવન મુલાકાતીઓ માટે ડો. બાબા સાહેબના વિચારો જીવનમાં આત્મસાત કરી સામાજિક સમરસતા માટેનું પ્રેરણા કેન્દ્ર બની રહેશે એવો વિશ્વાસ ( Minister for Social Justice and Empowerment Pradeep Parmar ) પ્રદીપ પરમારે વ્યકત કર્યો હતો. તેમણે નિર્માણાધીન સ્મારકભવનનું પ્રેઝન્ટેશન નિહાળી જરૂરી સૂચનો કર્યા હતાં. બેઠકમાં મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

કચ્છની ઘટના સંદર્ભે આપ્યું નિવેદન

રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત સરકારે સામાજિક દલિત અત્યાચારની કચ્છની ઘટનામાં જે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે, તેમને નિયમાનુસાર કુલ 21 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. કચ્છની આ ઘટનાની જાણ થતાં જ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને 7 વ્યક્તિઓની અટકાયત કરી છે.એફ.આઇ.આર પણ દાખલ કરવામાં આવી છે. ( Minister for Social Justice and Empowerment Pradeep Parmar ) પ્રદીપ પરમારે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાજ્યમાં આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેની સંપૂર્ણ તકેદારી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને પાર પાડશે.

આ પણ વાંચોઃ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરમાં પ્રવેશ બાબતે દલિત પરિવાર પર હુમલો, પોલીસે 5 હુમલાખોરોને ઝડપી પાડ્યા

આ પણ વાંચોઃ કરછમાં દલિતો દ્વારા મંદિરમાં પ્રવેશ મુદ્દે થયેલા હુમલા બાદ જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન

ABOUT THE AUTHOR

...view details