ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા

લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું નિધન થતા 17 વર્ષ પહેલા વડોદરામાં તેમની મુલાકાત (Vadodara Lata Mangeshkar Visit)ના સંસ્મરણો સ્મૃતિ પટલ પર તાજા થયા છે.

By

Published : Feb 6, 2022, 7:53 PM IST

Updated : Feb 6, 2022, 8:03 PM IST

Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા
Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા

વડોદરા: આજરોજ દેશની સ્વર સમ્રાજ્ઞી તરીકે ઓળખાતી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે સારવાર દરમિયાન મૃત્યું (Lata Mangeshkar Passed Away) થયું છે. જેને લઇને તેમના દેશ-વિદેશમાં વસતા ચાહકોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે. આજરોજ સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે 17 વર્ષ પહેલા સંસ્કારી નગરી વડોદરામાં તેમની મુલાકાત (Vadodara Lata Mangeshkar Visit)ના સંસ્મરણો અનેકના સ્મૃતિ પટલ પર તાજા થવા પામ્યા છે.

Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા

17 વર્ષ પહેલાના સંસ્મરણો

આજરોજ દેશની કોયલ તરીકેની ઓળખ ધરાવતી લોકપ્રિય સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું મુંબઇ ખાતે મૃત્યું થયું છે. તેમના દેહાંતના સમાચાર સાંભળીને બોલીવુડથી લઇને રાજકારણીઓ સુધી તમામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. તેમના દેહાંત બાદ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેવા સમયે સંસ્કારી નગરી વડોદરાના નાગરીકો લગા મંગેશકરના 17 વર્ષ પહેલાના સંસ્મરણોને યાદ કરી રહ્યા છે.

Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા

આ પણ વાંચો:Prem Chopra on Lata Mangeshkar: ફોન પર મને કહેતા- "લતા.....લતા મંગેશકર નામ હૈ મેરા"

લતા મંગેશકર વડોદરાની મુલાકાતે

વર્ષ 2005 માં સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સંસ્કારી નગરીની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (Lata mangeshkar M.S university)ના 52માં પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો. જે 08-10-2015 ના રોજ યોજાયો હતો.

આ પણ વાંચો:લતાજી કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે: ભીખુદાન ગઢવી

લતા મંગેશકરને ડી.લિટની પદવી

સમારોહમાં લતા મંગેશકરને ડી લિટ (ડોક્ટરેટ)ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેનું તેઓએ સહર્ષ સ્વિકાર કર્યો હતો. રાજમાતા મૃણાલીની દેવી પુવારના હસ્તે એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહમાં લતા મંગેશકરને ડી.લિટની પદવી (Lata Mangeshkar Degree) આપવામાં આવી હતી. પ્રસંગે જાણીતા ઇકોનોમિસ્ટ મોન્ટેકસિંગ અહલુવાલીયા પણ હાજર રહ્યા હતા.

Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા
Last Updated : Feb 6, 2022, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details