ગુજરાત

gujarat

By

Published : Nov 30, 2019, 9:51 AM IST

ETV Bharat / city

વડોદરામાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી મહિલા આચાર્યનો મૃતદેહ મળી આવ્યો

વડોદરાઃ શહેરના સમા વિસ્તારના વેલેરીયન ફેલ્ટ્સમાં રહેતા 35 વર્ષીય ભાર્ગવીબહેન આશિષકુમાર સુથાર બાજવા વિસ્તારની મહિરેવા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતાં. ગત તારીખ 27 નવેમ્બર, બુધવારના રોજ સવારે 10 વાગે તેઓ પોતાની સ્કૂટી લઈને શાળાએ જવાનું કહી નિકળ્યા હતા. જે બાદમાં ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતાં.

Missing female principal's dead body were found under mysterious circumstances in Vadodara
Missing female principal's dead body were found under mysterious circumstances in Vadodara

વડોદરા ગત બુધવારે ભેદી સંજોગોમાં ગુમ થયેલી બાજવાની મહિરેવા શાળાની યુવા મહિલા આચાર્યનો મૃતદેહ શુક્રવારે સાવલીના લાંછનપુરા ગામ ખાતે મળી આવ્યો હતો.

પરિવારજનોએ ભાર્ગવીબહેનની શોધખોળ કર્યા બાદ બનાવ અંગે સમા પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ભાર્ગવીબહેનનું લાસ્ટ લોકેશન સાવલીનું લાંછનપુરા ગામ મળી આવ્યું હતું. પોલીસે તેના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાનમાં શુક્રવારે લાંછનપુરા ગામ પાસેથી ભાર્ગવીબહેનની સ્કૂટી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેને પગલે મહિસાગર નદીમાં શોધખોળ કરતાં પોલીસને મહિલા આચાર્યનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. તેમજ સમા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details