ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કોરોનાના કેસ વધતા 31 માર્ચ સુધી બાગ-બગીચા બંધ - Vadodara commissioner's order

શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને શહેરના તમામ બાગ-બગીચાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો મ્યુનિ. કમિશ્નરે આદેશ કર્યો છે. શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે શહેરના આ આદેશ કર્યો છે.

વડોદરામાં 31 માર્ચ સુધી બાગ-બગીચા બંધ
વડોદરામાં 31 માર્ચ સુધી બાગ-બગીચા બંધ

By

Published : Mar 18, 2021, 1:13 PM IST

Updated : Mar 18, 2021, 1:40 PM IST

  • 31 માર્ચ સુધી શહેરના બાગ-બગીચાઓ બંધ
  • વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે કર્યો આદેશ
  • વડોદરામાં વધી રહ્યાં છે કોરોનાના કેસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વિસ્ફોટની જેમ વધી રહ્યાં છે. અગાઉ સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા. તેવી જ રીતે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે વડોદરા શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કમિશ્નરે 31મી માર્ચ સુધી આ તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે રહેવું પડેશે હોમ ક્વૉરન્ટાઈન

કોરોનાના વધતા કેસની સામે તંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને ઝડપથી સારવાર મળે તે માટે શહેરમાં ધન્વંતરી રથ ફરવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહ્યાં છે તેમાં સૌથી વધારે રાજકારણીઓ અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ઝપેટ હોય તેવું સામે આવ્યું છે. કોરોનાની વેકસીન લીધા પછી પણ ડૉક્ટર કોરોના પોઝિટિવ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે..

આ પણ વાંચો:કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ

Last Updated : Mar 18, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details