ગુજરાત

gujarat

ETV Bharat / city

અંતિમ દિવસોમાં ગરબા રમવાના સમયમાં વધારો કરવા હર્ષ સંઘવી સમક્ષ માગણી - અંતિમ દિવસોમાં ગરબા રમવાના સમયમાં વધારો

નવરાત્રી ( Navratri 2022 ) શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વડોદરા માંજલપુર ધારાસભ્ય દ્વારા ગરબા રમવાની સમય મર્યાદા વધારવાની માગણી ( Demand to increase Garba playing time in Navratri )કરવામાં આવી છે. ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સમક્ષ આ માગણી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) કરી છે. સંઘવી વડોદરામાં એક કાર્યક્રમને અનુલક્ષી આવ્યાં હતાં.

અંતિમ દિવસોમાં ગરબા રમવાના સમયમાં વધારો કરવા હર્ષ સંઘવી સમક્ષ માગણી
અંતિમ દિવસોમાં ગરબા રમવાના સમયમાં વધારો કરવા હર્ષ સંઘવી સમક્ષ માગણી

By

Published : Sep 24, 2022, 7:59 PM IST

વડોદરાએમજી વડોદરા મેરેથોન 2023 ( MG Vadodara Marathon 2023 ) કાર્યક્રમનો લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન કાર્યક્રમના લોન્ચિંગ કાર્યક્રમમાં એમજી નર્ચર ઓબ્ઝર્વરશીપ પ્રોગ્રામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા નવરાત્રી 2022 અંતિમ દિવસોમાં ગરબા રમવાના સમયમાં વધારો ( Demand to increase Garba playing time in Navratri ) કરવામાં આવે તે માટે હર્ષ સંઘવી સમક્ષ માગણી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) કરી હતી. જોકે હર્ષ સંઘવીએ મંચ પરથી આ બાબતે કોઇ પ્રતિક્રિયા દાખવી ન હતી.

વડોદરામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહપ્રધાન સમક્ષ માગણી

ખેલૈયાઓની નારાજગીને લઇ રજૂઆતનવરાત્રી ( Navratri 2022 ) ને હવે ગણતરીના દિવસો બાકી છે. ઠેરઠેર આયોજકો દ્વારા ગરબાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રી ( Navratri 2022 ) માં સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવામાં આવતા હોય છે. જેને લઈને ખૈલેયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. આ બાબતોને ધ્યાન રાખી કેટલાક આયોજકો દ્વારા વડોદરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી આજે માંજલપુરના ધારાસભ્ય દ્વારા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) ને આ અંગે રજૂઆત ( Demand to increase Garba playing time in Navratri ) કરવામાં આવી હતી.

નવરાત્રીના અંતિમ દિવસોમાં વધુ સમય અપાયઆ અંગે ધારાસભ્ય યોગેશ પટેલં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નવરાત્રી ( Navratri 2022 ) માં ગરબાના આયોજનો વર્ષોથી થાય છે. ગરબાના આયોજકો મસમોટો ખર્ચો કરે છે. છતાં પણ 12 વાગ્યા પછી ગુજરાત સરકારની આપેલી ગાઈડલાઈન પ્રમાણે ગરબા બંધ કરી દેવામાં આવે છે. જેથી અનેક ગરબા સંચાલકો દ્વારા મને ગરબા રમવાના સમયમાં વધારો ( Demand to increase Garba playing time in Navratri ) કરવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જેથી આયોજકો દ્વારા મને જે કાગળો આપવામાં આવ્યા છે. તે મેં હર્ષ સંઘવી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) ને આપ્યા છે અને રજૂઆત કરી છે કે નવરાત્રીના છેલ્લા 3 કે 4 દિવસ રાત્રે અઢી વાગ્યા સુધી ગરબા રમવા દેવામાં આવે.

વિધર્મીને કોઈ પણ ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવેવિદ્યર્મીઓને લઈને તેમણે જણાવ્યું કે, કોઈ વિદ્યર્મીને કોઈપણ ( Navratri 2022 ) ગરબામાં પ્રવેશ આપવામાં નહી આવે. કારણકે ઘણી જગ્યાએ કપાળ પર ચાંદલા કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ વાત મને એમ લાગે છે કે ઉભી કરેલી છે. આ અંગે મારી તમામ આયોજકો સાથે વાત થઈ ગઈ હોવાથી આવી કોઈ ઘટના નહીં બને અને છતાં જો બનશે તો તેના પર આયોજકોની નજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details