ગુજરાત

gujarat

ETV Bharat / city

કચ્છના વકીલની હત્યા અને યુપીમાં સામુહિક દુષ્કર્મ મામલે ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું

કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે અને ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે થયેલા ગેંગરેપ મામલે ડભોઈ સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમણે માગ કરી છે કે, દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે.

By

Published : Sep 30, 2020, 7:29 PM IST

કચ્છના વકીલની હત્યા અને યુપીમાં ગેંગરેપ મામલે ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું
કચ્છના વકીલની હત્યા અને યુપીમાં ગેંગરેપ મામલે ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું

વડોદરાઃ કચ્છના રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યા અને યુપીના હાથરસમાં યુવતી સાથે થયેલા ગેંગરેપની ઘટનાનેે ડભોઈ સ્વયં સૈનિક દળે વખોડી કાઢી હતી. બંન્ને કેસના આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માગ સાથે ડભોઈ સ્વયં સૈનિક દળે ડભોઈ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

કચ્છના વકીલની હત્યા અને યુપીમાં ગેંગરેપ મામલે ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું

મામલતદાર કચેરી ખાતે આર. આર. રાઠવાને આવેદનપત્ર આપતી વખતે તેમણે માગ કરી હતી કે, આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ બંન્ને કેસના સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવામાં આવે. આ પ્રસંગે લક્ષ્મણ વણકર, અશોકભાઈ નરેશભાઈ, સુરેશભાઈ, નિલેષ આંબેડકર સહિત મોટી સંખ્યામાં સ્વયંમ સૈનિક દળના અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details