ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા એકતાનગરમાં બાળ તસ્કરીની ઘટના માત્ર અફવા, રાયોટિંગનો ગુનો નોંધાયો - રાયોટિંગનો ગુનો

વડોદરા શહેરના એકતાનગર વિસ્તારમાં બાળ તસ્કરી ( Child trafficking incident ) ની ઘટના માત્ર અફવા સાબિત ( Child trafficking incident in Ektanagar Rumor ) થઇ હતી. સ્થાનિક લોકોના ટોળાએ મહિલા અને યુવકને ઢોર માર માર્યો હતો. આવી અફવાઓથી દૂર રહેવા એસીપીએ અપીલ કરી હતી. આ કેસમાં માર મારવા મામલે 307 અને રાયોટિંગનો ગુનો દાખલ ( Vadodara Police booked rioting crime ) થયો છે.

વડોદરા એકતાનગરમાં બાળ તસ્કરીની ઘટના માત્ર અફવા, રાયોટિંગનો ગુનો નોંધાયો
વડોદરા એકતાનગરમાં બાળ તસ્કરીની ઘટના માત્ર અફવા, રાયોટિંગનો ગુનો નોંધાયો

By

Published : Sep 29, 2022, 9:54 PM IST

વડોદરાવડોદરાના શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં બાળકો ઉઠાવી ( Child trafficking incident )જવાના આરોપમાં એક યુવતી અને એક યુવાનને સ્થાનિક લોકોના ટોળાએ ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દરમિયાન પોલીસ આવી જતાં ગંભીર ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના ( Child trafficking incident in Ektanagar Rumor ) નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેને લઈ સમગ્ર મામલો બપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

307 અને રાયોટિંગનો ગુનો દાખલ

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ટોળા દ્વારા યુવક અને મહિલાને માર મારવાનો મામલે બાપોદ પોલોસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બાળચોરીની શંકાનાં આધારે ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મહિલા અગાઉ એકતાનગરમાં ભરતકામ કરતી મનીષા પ્રજાપતિ પર શંકાના આધારે ( Child trafficking incident in Ektanagar Rumor ) હુમલો કરાયો હતો. દરમ્યાન યુવક મહિલાની મદદ કરવા જતા ટોળાએ યુવકને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને ભારે જહેમતે બાદ ટોળું વિખેરાયું હતું. ભોગ બનનારને પોલીસે બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

307 રાયોટિંગ હથિયારબંધી કલમો હેઠળ ગુનો દાખલઆ અંગે એસીપી એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે આવી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરીયે છીએ. એક અફવા ( Child trafficking incident in Ektanagar Rumor ) ના કારણે બે નિર્દોષ લોકો ટોળાના હુમલાનો ભોગ બન્યા છે. યુવક મહિલાને ટોળાના મારથી બચાવવા ગયો અને પોતે ભોગ બન્યો છે ત્યારે ભોગ બનનાર દીનાનાથ કુષ્વાહા ગારમેન્ટનો વ્યવસાય કરે છે અને પોતે ફેક્ટરી ધરાવે છે. મહિલા ભરત કામ મેળવવા માટે વેપારીને મળવા ગઈ હતી.

આ સમગ્ર મામલે વેપારીએ નોંધાવી ફરિયાદમુજબ પોલીસે 307, રાયોટિંગ, હથિયારબંદીની કલમો હેઠળ ગુનો ( Vadodara Police booked rioting crime ) દાખલ કર્યો છે. હાલમાં પોલીસના જણાવ્યા મુજબ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. જો પોલીસ ઘટના સ્થળે ન પહોંચી હોત તો ગંભીર પરિણામ આવી શકતું હતું. આ મામલે પોલીસે ઘટના ( Child trafficking incident in Ektanagar Rumor ) ના વિડિયો ફૂટેજના આધારે વધુ લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી આરંભી છે.

ABOUT THE AUTHOR

...view details