- કામદાર સંગઠન તથા કામદાર અગ્રણીઓને શ્રમ કચેરી દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરાઈ
- નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે ડેપ્યુટી લેબર કમિશ્નરને કરાઈ રજુઆત
- કામદાર અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો
વડોદરાઃ શહેરમાં નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે કામદાર સંગઠન તથા કામદાર અગ્રણીઓને શ્રમ કચેરી દ્વારા થતી હેરાનગતિ અંગે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. કર્મચારીઓના આગેવાન નઇમ શેખ, સંજય બિનિવાલે, મનોજ પંડિત, તપન દાસગુપ્તા તેમજ સંતોષ પવાર સહીત અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરી નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે ડેપ્યુટી લેબર કમિશ્નર એ. એન. ડોડીયાને રજુઆત કરી હતી.