- વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે ઝાડા- ઉલ્ટીના કોલેરાના 50 કેસો
- વિવિધ વિસ્તારોમાંથી દર્દીઓ મળી આવ્યા
- નાગરવાડા વિસ્તારમાં અગાઉ 3 મહિલાના મૃત્યુ થયા હતા
- મનપાના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પીવાનાં પાણીના નમૂના લીધા
વડોદરા : 2018માં નવાપુરા વિસ્તારમાં કોલેરા (Cholera) વકર્યો હતો તેમાં કેટલાકનાં મોત થયા હતા. હવે કોલેરા (Cholera) એ એક વખત ફરી માથું ઉચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોલેરા અને ઝાડા- ઉલ્ટી કેસ મળી આવ્યા છે. ચોમાસાના દિવસોમાં અને કોરોના મહામારી (Corona epidemic) ના કાળમાં તંત્ર દ્વારા તાકિદે ગંદા અને દુષિત પાણી (Contaminated water) ના પ્રશ્નનો હલ નહિ કરવામાં આવે તો સ્થિતિ ગંભીર બનશે, પરંતુ એસી ચેમ્બરમાં બેસતા મેયરનું કહેવું છે કે, હજુ સુધી શહેરમાં રોગચાળો ફાટ્યો હોય એવું કંઈક ધ્યાને આવ્યું નથી તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે અને દર્દીઓની લાઈનો લાગે છે.
આ પણ વાંચો : સુરત જિલ્લાના કઠોર ગામમાં દૂષિત પાણી પીવાથી 6 લોકોના મોત
દુષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે