ગુજરાત

gujarat

વડોદરામાં મ્યુકોરમાયકોસીસના નવા 22 દર્દીઓ નોંધાયા, 37 દર્દીઓની સર્જરી કરાઇ, 1 દર્દીનું મોત

By

Published : May 27, 2021, 2:02 PM IST

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસીસના નવા 14 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ સાથે કુલ આંક 280 પર પહોંચ્યો હતો. જ્યારે SSGમાં 14 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. બુધવારે 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી તેમજ સારવાર લઈ રહેલા 1દર્દીનું મોત નીપજ્યું હતું.

વડોદરામાં મ્યુકોરમાયકોસીસના નવા 22 દર્દીઓ નોંધાયા
વડોદરામાં મ્યુકોરમાયકોસીસના નવા 22 દર્દીઓ નોંધાયા

  • વડોદરાની સયાજીમાં 14 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ દાખલ થયા
  • 24 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી
  • SSGમાં 23 અને ગોત્રી હોસ્પિટલમાં 14 મળી કુલ 37 દર્દીઓની સર્જરી કરવામાં આવી

વડોદરાઃSSG હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસીસ(mucormycosis)ના વધુ 14 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 215 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 14 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 23 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.

વડોદરામાં મ્યુકોરમાયકોસીસના નવા 22 દર્દીઓ નોંધાયા

આ પણ વાંચોઃબ્લૅક ફંગસ: સુરત જ્યાં સૌથી વધું કેસ આવ્યાં એ શહેરના આંખોના ત્રણ ડૉકટરોને સાંભળો

9 તથા 14 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી

આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 9 તથા 14 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાયકોસીસના કારણે SSG હોસ્પિટલના બિછાને એક પણ દર્દીનું મોત નોંધાયું ન હતું.

ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસીસના વધુ 8 દર્દીઓ નોંધાયા છે

ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસીસના વધુ 8 દર્દીઓ નોંધાયા છે. જેમાં અત્યારસુધી કુલ દર્દીઓની સંખ્યા 65 પર પહોંચી છે. જ્યારે 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી અને 14 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.

ગોત્રી હોસ્પિટલમાંથી 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી

આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે, દુરબીનથી નાકની અંદરની સર્જરી 6 અને લોકલ એનેસ્થેશિયા આપીને 8 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જેમાં એક દર્દીની આંખો કાઢી નાખવામાં આવી હતી. જ્યારે ગોત્રી હોસ્પિટલમાંથી દિવસ દરમિયાન 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. એક દર્દીનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું હતું.

આ પણ વાંચોઃવડોદરામાં સયાજીમાં 15 અને ગોત્રીમાં નવા 4 મ્યુકોરમાઈકોસીસના કેસ નોંધાયા

મ્યુકોરમાયકોસીસના દર્દીઓની સંખ્યા 280 થઈ

ઉલ્લેખનિય છે કે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 280 ઉપર પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details