- હ્રદયના વાલ્વની બિમારી ધરાવે છે ઝાકિરાબીબી શેખ
- ઝાકિરાબીબી મહમ્મદ શેખે આપી કોરોનાને માત
- 18 એપ્રિલના રોજ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
સુરતઃશહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. મોટી સંખ્યામાં કોમોર્બિડ અને વડીલ દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે. હ્રદયના વાલ્વની બિમારી ધરાવતા નાનપુરા વિસ્તારના 50 વર્ષીય ઝાકિરાબીબી મહમ્મદ શેખે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. હદયના વાલ્વની બિમારીથી પીડિત ઝાકીરાબીબી મહમ્મદ શેખ સ્મીમેર હોસ્પિટલમાં 24 દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમનો પરિવાર આનંદિત થયો હતો.
આ પણ વાંચોઃ 28 વર્ષીય યુવક કોરોનાને માત આપ્યા બાદ ઘોડેસવારી કરી ઘરે પરત ફર્યો
18 એપ્રિલે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ ઝાકિરાબીબી
સ્મીમેર હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થયેલા ઝાકિરાબીબી શેખે જણાવ્યું હતુ કે, ‘તા.18 એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યા બાદ તા.20નાં રોજ પરિવારના સભ્યો દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. તેમને સાત વર્ષથી હ્રદયના વાલ્વની બિમારી છે, શરૂઆતમાં કોરોનાના ડરને કારણે તેમની તબિયત વધુ બગડતાં તા.23 એપ્રિલે તેમને બાપપેપ પર રાખવામાં આવ્યા હતા.