- સુરતમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશનું સ્વાગત
- દર્શના જરદોશ સહિતના નેતાઓએ ઉડાવ્યા કોરોના ગાઇડલાઇન્સનાં ધજાગરા
- સાઉથ ગુજરાતને કેન્દ્રીય પ્રધામન મળતા લોકોમાં ખૂબ જ ઉત્સાહ
સુરત : રાજ્યમાં ભાજપ દ્વારા કરમસદથી કાઢવામાં આવેલી જન આશીર્વાદ યાત્રા સુરત પહોંચી હતી. આ દરમિયાન કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશનું ભાજપ ધારાસભ્ય, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ દ્વારા જોરોશોરોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ સહિતના નેતા, કાર્યક્રતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ અને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા
સુરત પોતાના વતન પહોંચેલા કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશનું ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો તથા કાર્યકર્તા દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવતાની સાથે સ્વાગત કર્યું હતું. જોકે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. ખુદ દર્શના જરદોશનો પણ કાર્યકર્તા દ્વારા સ્વાગત દરમિયાન પોતે માસ્ક મગર જોવા મળ્યા હતા. આ ઉપરાંત, સુરત રેલવે સ્ટેશન પર આવેલા સરદાર પટેલની પ્રતિમાએ હાર ચઢાવી આશિર્વાદ લીધા હતા.