ગુજરાત

gujarat

સુરતમાં એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓને ડાંગરની ખરીદી માટે સત્તા આપવામાં આવે: ખેડૂત સમાજ

By

Published : Nov 26, 2021, 12:05 PM IST

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે 40 લાખ ગુણ ડાંગર પાકે છે પરંતુ સરકાર માત્ર 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે. વ્યવસ્થાના અભાવે થનારી આ સમસ્યાને દૂર કરવા માટે હવે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. તેઓએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને (Chief Minister Bhupendra Patel) રજૂઆત કરી છે કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જેમ અન્ય એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓ (co operative societies in Surat) વધુ હોવાથી ખરીદી માટે સત્તા તેમને આપવામાં આવે.

Surat news
Surat news

  • દર વર્ષે 40 લાખ ગુણ ડાંગર પાકે છે પરંતુ સરકાર માત્ર 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે
  • મંડળીઓ કે વેપારીઓ 20 કિલો ડાંગરના ભાવ રૂપિયા 325થી 340 વચ્ચે આપી રહ્યા છે
  • સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે તેના પર સૌથી વધુ છે

સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન ડાંગર પાકનું (Paddy crop) બમ્પર ઉત્પાદન થાય છે. ખેડૂત સમાજ મુજબ અહીં 40 લાખ ગુણ ડાંગર પાકે છે. પરંતુ ખેડૂતોની સમસ્યા સૌથી મોટી એ છે કે આટલી મોટી સંખ્યામાં ડાંગર પાક થવા છતાં સરકાર તેની સામે માત્ર દસ હજાર ગુણ ખરીદતી હોય છે. મંડળીઓ કે વેપારીઓ 20 કિલો ડાંગરના ભાવ રૂપિયા 325થી 340 વચ્ચે આપી રહ્યા છે અને સરકાર ટેકાના ભાવ જાહેર કર્યા છે. આથી ખેડૂતોને 20 કિલો ડાંગર પર સીધો 40થી 50 નો ફાયદો થઇ જાય તેમ છે. સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે, તે પર સૌથી વધુ છે પરંતુ આ ખરીદી માટે જે સેન્ટરો નક્કી કર્યા છે. ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સરકાર માંડ 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે.

સુરતમાં એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓને ડાંગરની ખરીદી માટે સત્તા આપવામાં આવે: ખેડૂત સમાજ

આ પણ વાંચો: National Milk Day 2021: શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મજયંતિની આણંદમાં ઉજવણી

ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યુ છે

ખેડૂત અગ્રણી જયેશ ડેલાડે (Farmer leader Jayesh Delad) જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જેમ અન્ય એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓ વધુ હોવાથી ખરીદી માટે સત્તા (give right to buy paddy crop cooperative societies in Surat) આપવામાં આવી જોઈએ. મહિનો થવા આવ્યો છતા હજુ સુધી સેન્ટર પર ખરીદી શરૂ થઇ નથી. આ અવ્યવસ્થાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યુ છે. ઇન્ફાસ્ટ્રકચર પણ તૈયાર હોવાથી મંડળીઓને સતા આપી દેવામાં આવે તો જ ખેડૂતોને રાહત આપી શકે તેમ છે.

આ પણ વાંચો: Navsari Agricultural University નિષ્ણાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડાંગર સહિતના પાક અંગે વિશેષ ટિપ્સ આપી

ABOUT THE AUTHOR

...view details