- ચૌસિંગા હરણને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળતી હરણની વસ્તી વધારવાનો છે પ્રોજેકટનો મુખ્ય ઉદેશ્ય
- 2 નર અને 1 માદા હરણ એમ કુલ 3 હરણને છોડવામાં આવ્યાં
સુરતઃ ચૌસિંગા નામક હરણની પ્રજાતિનું પહેલી વાર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું છે. છોડવામાં આવેલ ઝુંડ માં 2 નર અને 1 માદા હરણ એમ કુલ 3 હરણને છોડવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ચૌસિંગાને વનમાં મુક્ત કરવાનો આ પહેલો પ્રયાસ છે. આ પહેલા નેચર ક્લબ સુરતે વન વિભાગ સાથે મળીને 30 જેટલા ચિત્તલ હરણને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કર્યા હતા. વાંસદાના જંગલોમાં મળતી 3 પેકી 2 પ્રજાતિના હરણને નેચર ક્લબ સુરત સફળતા પૂર્વક પ્રજનન કરીને વન માં મુક્ત કરી રહ્યુ છે.