સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં એક કરતા વધુ કેસ કોરોના કેસ આવવા પર સંપૂર્ણ માર્કેટ બંધ કરવા પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જ્યાં રજૂઆત કરવા પહોંચેલા વેપારીઓની વાત સાંભળ્યા બાદ સાંસદ સીઆર પાટીલે મધ્યસ્થી કરી રાજ્યના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાંસદ સીઆર પાટીલની ઓફિસે આ અંગે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં સુખદ અંત આવતા વેપારીઓ ચિંતામુક્ત બન્યા હતા.
સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટમાં એકથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવવા પર પાલિકા દ્વારા સંપૂર્ણ માર્કેટને બંધ કરવાના નિર્ણય સામે વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા. જ્યાં વેપારીઓ સાથે બેઠક યોજી સાંસદે તેઓની વાત સાંભળી હતી.