- સુરત સૂડા ભવન દ્વારા 2021-22નું બજેટ જાહેર
- વિકાસલક્ષી કામોને લઈને આ બજેટ બહાર પાડવામાં આવ્યું
- સુરત રીંગ રોડ માટે 100 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું
સુરત: સૂડા ભવન દ્વારા 599 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 121 કરોડની, તાપી શુદ્ધિકરણ માટે 150 કરોડ, સુરતના રીંગ રોડ માટે 100 કરોડ, રોડ રસ્તાઓ માટે 56 કરોડ તેમજ પીવાના પાણી માટે 17.82 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 121 કરોડનું બજેટ
સુરત સૂડા 0ભવન દ્વારા 2021-22નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે. વિકાસલક્ષી કામોને લઈને આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં સૂડા ભવન ઇન્ચાર્જ CEO હિતેશ કોયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ વર્ષે 2021-22નું સૂડા ભવનનું 599 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 121 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.જે સુરતના ગરીબ આર્થિક લોકોને આ યોજના હેઠળ મકાનનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા આ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં લાભ મળશે. તાપી શુદ્ધિકરણ અને સુરત રીંગ રોડ માટે પણ બજેટ નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:બજેટ જાહેર થતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આશાનું કિરણ