ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Police captured Jewelry from Rajasthan: પોલીસ રિક્ષામાંથી વૃદ્ધાના ચોરાયેલા દાગીના રાજસ્થાનથી લઈ આવી, આરોપી હજી ફરાર - Surat police solved the theft case

સુરતના સરથાણા વિસ્તારમાં રિક્ષામાં દાગીના ભૂલી જનારા વૃદ્ધાને પોલીસે તેમના દાગીના પરત (Surat Police captured Jewelry from Rajasthan) કર્યા છે. આ વૃદ્ધા રિક્ષામાંથી ઉતર્યા ને તરત જ રિક્ષાચાલક 4.53 લાખ રૂપિયાના ઘરેણા ભરેલી બેગ લઈને ફરાર (Rickshaw driver cheating with old woman of Surat) થઈ ગયો હતો. પોલીસ આ દાગીના રાજસ્થાનથી પરત લઈ (Surat police solved the theft case) આવી હતી.

Surat Police captured Jewelry from Rajasthan: પોલીસ રિક્ષામાંથી વૃદ્ધાના ચોરાયેલા દાગીના રાજસ્થાનથી લઈ આવી, આરોપી હજી ફરાર
Surat Police captured Jewelry from Rajasthan: પોલીસ રિક્ષામાંથી વૃદ્ધાના ચોરાયેલા દાગીના રાજસ્થાનથી લઈ આવી, આરોપી હજી ફરાર

By

Published : Feb 28, 2022, 2:41 PM IST

સુરતઃ થોડા દિવસ પહેલા સરથાણા વિસ્તારમાં રિક્ષાચાલક વૃદ્ધાના દાગીના લઈ ફરાર થઈ (Rickshaw driver cheating with old woman of Surat) ગયો હતો. ત્યારે સુરત પોલીસ ચોરાયેલા આ દાગીના રાજસ્થાનથી પરત લઈને આવી હતી. ત્યારબાદ પોલીસે 4,53,500 રૂપિયાની કિંમતન દાગીના વૃદ્ધાને પરત (Surat Police captured Jewelry from Rajasthan) કર્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા (Surat police solved the theft case) છે.

આ તપાસમાં સુરત પોલીસે લોકલ પોલીસની પણ મદદ લીધી હતી

આ પણ વાંચો-સુરત : લગ્ન કરીને બે મહિનામાં જ 4.50 લાખના ઘરેણા લઇ જનારી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

ભાવનગરના વૃદ્ધા સાથે થઈ છેતરપિંડી

આ અંગે સુરત પોલીસે (Surat police solved the theft case) જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીએ ભાવનગરથી ગીતાબેન જગદીશપુરી ગોસ્વામી નામના મહિલા પોતાના જમાઈના ઘરે જઈ રહ્યા હતા. ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ઘરેણા પહેરીને અને બેગમાં પણ લઈને આવ્યા હતા. અહીંથી તેઓ ઘરેણા લઈને બીજા જમાઈના ઘરે 8 ફેબ્રુઆરીએ બપોરે ગયા હતા. તે દિવસે ત્યાં રોકાઈ તે જ દિવસે રાત્રે જમીને તેઓ પોતાના વતન ભાવનગર જવા નીકળ્યા હતા. જોકે, ઘરેણાવાળો થેલો તેઓ ઉતારે તે પહેલા જ રિક્ષાચાલક ભાગી ગયો હતો.

આ પણ વાંચો-અમદાવાદમાં લેબોરેટરી ખોલવાના બહાને છેતરપિંડી, ડોકટરોએ કરી ચિટિંગ

ધારુકાવાળા કોલેજની બહાર રિક્ષાચાલક ઘરેણાની બેગ લઈ થયો હતો ફરાર

પોલીસે વધુમાં જણાવ્યું કે, મોટા વરાછા ખાતેથી તેમના મોટા જમાઈએ તેમને રિક્ષામાં બેસાડ્યા હતા. ત્યાંથી તેઓ રિક્ષામાં બેસી ધારુકાવાળા કોલેજની બહાર ઉતર્યાં હતાં. ત્યાંથી હાલ જે આરોપી છે તેની રિક્ષામાં બેસી શ્યામધામ ચોક ઉપર ગયા હતા. ત્યાં તેઓ શ્યામધામ ચાર રસ્તા પાસે ઉતરી તેમની પાસે 4 અલગ અલગ થેલા હતા. તેમાંથી એક થેલામાં ઘરેણા હતા. જોકે, ઉતરતી વખતે આ ઘરેણાવાળો (Surat police solved the theft case) થેલો તેઓ ઉતારે તે પહેલા જ રિક્ષાચાલક નાસી ગયો હતો. ત્યારબાદ મહિલાએ આજુબાજુ રિક્ષાચાલક અંગે તપાસ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહતી.

આ તપાસમાં સુરત પોલીસે લોકલ પોલીસની પણ મદદ લીધી હતી

પોલીસે જણાવ્યું હતું કે, તેમણે પોતાના જમાઈને જાણ કરી હતી. જમાઈએ સરથાણા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, આ પ્રકારનો થેલો ભૂલી ગયેલ છે. ત્યારબાદ મહિલા પોતાના વતન ભાવનગર જતા રહ્યાં હતાં. ત્યારબાદ પોલીસે આ અરજીના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ તપાસમાં તેમના જમાઈની પણ પૂછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, કોઈક રિક્ષાવાળો છે, જે મૂળ રાજસ્થાનનો છે. તે આ બનાવના બીજા દિવસથી જ રાજસ્થાન જતો (Surat Police captured Jewelry from Rajasthan) રહ્યો છે. પોલીસે આ બાબતે તપાસ કરી હતી અને આ રિક્ષાવાળાના વતને પોલીસની એક ટીમ રાજસ્થાન (Surat Police captured Jewelry from Rajasthan) મોકલવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના (Surat Police captured Jewelry from Rajasthan) ગામ માલના જિલ્લો દોડપૂરમાં આરોપી સોનુ મળી આવ્યો નહતો, પરંતુ તેની જગ્યા તેના મામા મળી આવ્યા હતા. આ તપાસમાં સુરત પોલીસે લોકલ પોલીસની પણ મદદ લીધી હતી.

સરથાણા પોલીસ રિક્ષાવાળા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે

પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપીના મામા રાયસિંહ કુશવાહે જણાવ્યું હતું કે, મારો ભાણેજ જતો રહ્યો છે, પરંતુ હું તપાસ કરી રહ્યો છું. તેણે આ જ ઘરેણા પોલીસની સામે (Surat police solved the theft case) રજૂ કર્યા હતા. તે ઘરેણા ક્યાંથી લાવ્યા હતા. ક્યાં છૂપાવવામાં આવ્યા હતા અને આરોપી ક્યાં ભાગી ગયો છે. તેની તપાસ પોલીસ કરી રહી છે, પરંતુ જે ઘરેણાં છે. તે તમામ ઘરેણાં પોલીસ પોતાની સાથે લઈને આવી હતી. આ ઘટનામાં સ્પષ્ટપણે કહી શકાય છે કે, રિક્ષાવાળાનો ઈરાદો ઘરેણાં લઈ પાછા (Surat police solved the theft case) આપવાના હતા અને શહેરમાં ઘણા રિક્ષાવાળા એવા હોય છે, જેઓ પોતાના રિક્ષામાં પેસેન્જરોના થેલા ભૂલી જતા હોય છે. તેઓ પેસેન્જરોને તેમનો થેલો કે અન્ય સમાન પાછી આપી જતા હોય છે, પરંતુ આ કેસમાં રિક્ષાવાળો થેલો લઈને ભાગી જતો હોય છે, જેથી સરથાણા પોલીસ રિક્ષાવાળા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details