- સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
- ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા
- પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં નંદુ પાસવાન રહે છે. તેઓને સંતાનમાં 5 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી સહીત 4 સંતાનો છે. ગતરોજ તેઓ ગેરેજ પર હતા અને ઘરમાં તેઓની 17 વર્ષીય મોટી દીકરી ભાઈ-બહેનને રમાડી રહી હતી. તે દરમિયાન બહેન અને ભાઈને રમતા મૂકી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. અન્ય ભાઈ બહેને આ અંગે માતાને જાણ કરતા તેઓના પગ તળેથી જમીન સરકી ગયી હતી. પિતાને પણ આ ઘટનાની જાણ થતા ઘરે દોડી આવ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, વિદ્યાર્થિનીએ આ પગલું અચાનક કેમ ભરી લીધું તે અંગે રહસ્ય ઘેરાયું છે.
ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની કરી રહી હતી તૈયારી